top of page

શ્રીમતી દર્શનાબેન જરદોશ-કેન્દ્રિય મંત્રીશ્રી, રેલ્વે અને કાપડવિભાગ,ના હસ્તે.......

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Sep 15, 2022
  • 1 min read

શ્રીમતી દર્શનાબેન જરદોશ - કેન્દ્રિય મંત્રીશ્રી, રેલ્વે અને કાપડ વિભાગ હસ્તે વિદ્યાર્થીઓનો પદવીદાન સમારોહ યોજાયો


સચિન પ્રજાપંખ :- ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ સુરત પ્રાદેશિક કેન્દ્ર દ્વારા સને ૨૦૨૧-૨૨ના બેચના પાસ થયેલા વિદ્યાર્થીઓનો પદવીદાન સમારોહ

શ્રીમતી દર્શનાબેન જરદોશ - માનનીય કેન્દ્રિય મંત્રીશ્રી (રેલ્વે અને કાપડ ) - ભારત સરકારના પ્રમુખસ્થાને યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં પ્રાદેશિક નિયામક શ્રી પરવેઝ મલિક એ સ્વાગત પ્રવચન કર્યું હતું. સંસ્થાના આચાર્ય શ્રી ડો.જે.એસ.ગનેરિવાલ એ પરિચય આપ્યો હતો.સને ૨૦૨૧;૨૦૨૨ માં લેવામાં આવેલ સેનેટરી ઇન્સ્પેકટર ડિપ્લોમાની પરીક્ષામાં પ્રથમ દસ આવેલ વિદ્યાર્થીઓને કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશના હસ્તે પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને અભિનંદન આપી ઇન્સ્ટિટ્યૂટની કામગીરીને બિરદાવી હતી તેમજ જ્યારે પહેલી વખત કોર્પોરેટર બન્યા, ત્યારે આ સંસ્થા તરફથી લેવામાં આવેલ તાલીમને પણ ભૂતકાળમાં જઇ યાદ કરી હતી. આયોજકોને કમિટીને અભિનંદન આપ્યા હતા. આ કાર્યક્રમના અંતમાં આભારવિધિ અને કાર્યક્રમનું સંચાલન પ્રોજેક્ટ એસોસીએટ શ્રી મોહંમદ ઇકબાલ શેખએ કર્યું હતું એવું સંસ્થાનાં પરવેઝ મલિક પ્રાદેશિક નિયામક શ્રી એ જણાવ્યું હતું.

 
 
 

Comentarios


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page