top of page

વિસર્જન પ્રક્રિયા માં સ્થાનિક ૧૨૫ પોલીસ મિત્રો પોલીસ સાથે બંદોબસ્તમાં જોડાશે...

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Sep 22, 2023
  • 1 min read

સુરત સચિનમાં અનેક ગણેશજીની સ્થાપના થઇ....



સુરત સચિન શહેરમાં અનેક શ્રી જી ની સ્થાપના થઇ છે.

પ્રજા પંખ સચિન : આજે સચિન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ મિત્ર FOP મિત્રોની ખાસ માર્ગદર્શનની મિટિંગ મળી હતી. જેમાં ગણેશ વિસર્જન સારી રીતે પાર પડે જે માટે નું માર્ગદર્શન સચિનના પી આઈ. આર.આર.દેસાઈ દ્વારા આપવામાં આવ્યું. કુલ ૧૨૫ જેટલા પોલીસ મિત્રો સ્થાનિક પોલીસ સાથે બંદોબસ્તમાં મદદ કરશે.સમગ્ર ગણેશ વિસર્જન પ્રક્રિયા પોલીસ,પાલિકા અને સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિના સંયોજનથી છેલ્લા બે ત્રણ વર્ષથી રાત્રે ૮:૩૦ સુધીમાં શાંતિના માહોલમાં સંપન્ન થાય છે. એફ ઓ પી મિત્રોનો યુનિફોર્મ બ્લેક ટી શર્ટ રહેશે અને સીટી પણ આપવામાં આવશે સમગ્ર મુખ્ય રોડ પર ગણેશ રથોનું ટ્રાફિક જામ ન થાય જે માટે પોલીસ સાથે ચુસ્ત બંદોબસ્ત રહેશે જણાવ્યું. વધુમાં દેસાઇ એ જણાવ્યું કે સુરત માં અને સચિન મળીને આ ગણેશ વિસર્જન ને લઈને ત્રણ હજારથી વધુ પોલીસ મિત્રો જોડાયા છે જેમાં આપના ૧૨૫ નો પણ સમાવેશ થાય છે. શાંતિથી વિસર્જન પ્રક્રિયા સંપન્ન થાય જેનું ધ્યાન રાખવું જરૂરી છે. આપ સહુ કુત્રિમ તળાવ અને મુખ્ય રોડ પર તૈનાત રહેશો વધુ જાણકારી માટે હજી એક મિટિંગ બોલાવવામાં આવશે.


 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page