વિશ્વજીતભાઈ ચૌધરી શિક્ષક વયમર્યાદાથી નિવૃત્ત થયા હતા.
- Praja Pankh
- Jun 4, 2021
- 1 min read

સચિન : સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત બારડોલી તાલુકાની બાલદા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા વિશ્વજીતભાઈ ચૌધરી તારીખ-૩૧/૫/૨૦૨૧ ના રોજ વયમર્યાદાથી નિવૃત્ત થયા હતા.
શિક્ષક જ્યોત સંપાદક મંડળ, ગાંધીનગરના સદસ્ય અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી તરીકે અવરિત સેવા આપનાર વિશ્વજીતભાઈ ચૌધરીને તેમની નિવૃત્તિના અંતિમ દિવસે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો તેમજ શાળાના પરિવારે પુષ્પગુચ્છ અર્પણ કરી તેમના સુખમય અને શાંતિમય જીવન માટે હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. એમ જીલ્લા સંઘના પ્રચાર-પ્રસાર મંત્રી વિજય પટેલ એક યાદીમાં જણાવે છે.
Comments