વોર્ડ- 30માં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી પૂર્વ આમ આદમી પાર્ટી કાર્યાલયનો પ્રારંભ થયો
- Praja Pankh
- Feb 12, 2021
- 1 min read
હવે સુરત આપ ને અપનાવે તો અમે દિલ્હી જેવુ સુરત બનાવીશું.
પ્રજાપંખ સચિન : સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વચ્ચે સુરત શહેરમાં રાજકીય પક્ષોના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ભારે દોડધામ કરી રહ્યા છે સુરત શહેરમાં વોર્ડ નંબર 30 કનસાડ, સચિન, ઉન અને આભાવા માટેના આમ આદમી પાર્ટીના કાર્યાલયનો પ્રારંભ સચિન ખાતે કરવામાં આવતા શહેરના સ્થાનિક સ્તરે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ પ્રસંગે આમ આદમી પાર્ટી દિલ્હીના ધારાસભ્ય સંજય ઝા તથા સુરત શહેર પ્રમુખ મહેન્દ્રભાઇ નાવડીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને દિલ્હીના ધારાસભ્ય સંજય ઝા ના હસ્તે કાર્યાલય ખુલ્લું મુકવામા આવ્યુ હતું જેમા આમ આદમી પાર્ટી ના વોર્ડ નંબર 30 ના ત્રણે ઉમેદવારો અલ્પેશભાઇ પરમાર, રિતાબેન પ્રજાપતિ અને મુમતાઝબેન મુલતાની અને અન્ય હોદ્દેદારો તથા શહેર જીલ્લાના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહેલ હતા, આ પ્રસંગે આમ આદમી પાર્ટી દિલ્હીના ધારાસભ્ય સંજય ઝા તથા સુરત શહેર પ્રમુખ મહેન્દ્રભાઇ નાવડીયા વિશેષ ઉપસ્થિત રહી પ્રવચનમાં કહ્યું કે, આમ આદમી પાર્ટી ગુજરાતમા સ્થાનીક સ્વરાજની ચૂંટણીઓની બેઠકો ઉપર ચૂંટણી લડવા જઇ રહી છે જેમા સુરત મહાનગર પાલિકાની પણ અમુક બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખી ભાજપ કૉંગ્રેસ ની સામે વિકલ્પ પૂરો પાડવા કમર કસી છે. અમે 20 થી 40 સીટ જીતવાની રણનીતિ બનાવી છે. અમે સુરતને દિલ્હી મોડલ બનાવી શું જો અમે શાસન પર આવીશું તો આપના વેરા સીધા 50 ટકા માફ થઈ જશે આ અમારું ગેરેન્ટી કાર્ડ છે. હવે સુરત આપ ને અપનાવે તો અમે દિલ્હી જેવુ સુરત બનાવીશું.
Comments