top of page

વોર્ડ ૩૦ માં ડૉ. ભીમરાવ આંબેડકરજીની ૧૩૧ મી જન્મ જયંતિ ધામધૂમથી ઉજવાઈ

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Apr 14, 2022
  • 1 min read

પ્રજા પંખ સચિન : સચીન ખાતેના સ્લમ બોર્ડ ખાતે બિરાજમાન માનનિય ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમા પાસે આજે એમની 131 મી જન્મ જયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વોર્ડ 30 ના ભાજપ સંગઠન પ્રમુખ દિપક ચૌધરી, નગર સેવક અને ચેરમેન કાયદા સમિતિ શ્રી હસમુખભાઇ નાયકા, પાણી સમિતિ સદસ્ય રીનાદેવી રાજપૂત, બાંધકામ સમિતિ સદસ્ય પિયુશાબેન પટેલ તથા ડો. બી. ગુપ્તા અને સ્થાનિક મહિલા અને વિવિધ મોર્ચાના પદાધિકારિઓ ઉપસ્થિત રહ્યા હતા અને ડો. ભિમરાવજીના પ્રતિમાને માથે તિલક કરી પૂષ્પ માળા અર્પણ કરી જયકારા સાથે વંદન કરી તેમેના કરેલા કાર્યોને પ્રમુખ દિપક ચૌધરીએ યાદ કર્યા હતાં. આ તબક્કે બાબાસાહેબની પ્રતિમાને તમામ સમાજના આગેવાનો અને યુવાનોએ તથા સ્થાનિક પત્રકારોએ પણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં દરેક સમાજના આગેવાનો, યુવાનો ઉત્સાહ પૂર્વક મોટી સંખ્યામાં જોડાયા હતા. આ વેળાએ મોટી સંખ્યામાં આગેવાનો યુવાનો સહિત બાળકોએ જય ભીમના નારા પણ લગાવ્યા હતાં.



 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page