વોર્ડ નંબર 30 કનકપુર મોહલ્લા મિટિંગ સાથે પોલીસનો એક્શન પ્લાન તૈયાર: એચ. આર. મૂલીયાના-જોઇન્ટ કમિશ્નર
- Praja Pankh
- Feb 3, 2021
- 2 min read
પ્રજાપંખ દ્વારા : સચિન સુરતમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે. જે અનુસંધાને સુરત કમિશનરની સૂચના અન્વયે કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે જે માટેના સૂચનો માટે પોલીસ ઈન્સ્પેકટર એન. એ. દેસાઈના માર્ગદર્શનમા સચિન ખાતે મોહલ્લા મીટીંગનો દોર સચિન પોલીસ સ્ટેશન દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. આજે વોર્ડ નંબર 30 ના કનકપુર ના શ્રી સિદ્ધિવિનાયક મંદિર ખાતે મિટિંગનું આયોજન રાખવામા આવ્યું હતું.
આજ રોજની મિટિંગમાં મુખ્ય વક્તા તરીકે એચ. આર. મૂલીયાના, (આઇપીએસ) જોઇન્ટ કમિશ્નર સેકટર-2 એ ચૂંટણીની આચાર સંહિતા બાબતે કનકપુરવાસીઓને સંબોધન કરતાં જણાવ્યું કે, ચૂંટણી કમિશ્નર દ્વારા બનાવાયેલ આચાર સંહિતા તથા અમારા પોલીસ કમિશનરના હુકમો જાહેરનામાનું ચુસ્ત પણે પાલન થાય જે માટે આપણે આચાર સંહિતાની વાતો કરવા ઉપસ્થિત થયો છું. સ્થાનિક ચૂંટણીઓ આવે ત્યારે સ્થાનિક અદાવત કે રંજીસ હોઇ શકે છે. કોઈને ગમે કોઈને ન ગમે, માટે ઝગડો પણ કરી શકે કે, કરાવી શકે, આપણે ધ્યાન રાખવું કે કનકપુરમાં કોઈ બનાવ ન બને ભૂતકાળની જેમ આ ચૂંટણી પણ શાંતિથી પાર પડે. આચાર સંહિતાનું પૂર્ણ પણે સહુએ પાલન કરવાનું છે. સોશિયલ મીડીયામાં કોઇની પ્રતિષ્ઠા ખરડાય તેવા લખાણો કોઈ ટેકેદાર કે ઉમેદવારના કહેવાથી મેસેજ લખવા નહીં. ધાક ધમકી થી ડરવું નહીં પોલીસનો સંપર્ક કરવો. પૈસાની લાલચ આપે તો લેવા નહીં આપ એવો ઉમેદવાર પસંદ કરો કે તમારા ગામના પ્રજાલક્ષી કામો કરે. તમારી ચિંતા કરે. સેવા કરવાની ભાવનાવાળાને જ મત આપો. શાંતિથી મતદાન કરો. વધુમાં એમણે વેક્સિન તરફ ધ્યાન દોર્યું અને કહ્યું કે અફવા તરફ ધ્યાન દેશો જીવન જીવવા માટે વેક્સિન લેવી જરૂરી છે અમે બધાયે વેક્સિન લીધી છે. આપ સહુએ પણ વેકસીને લેવી જોઈએ. 50 લાખને વેક્સિન અપાઈ ચૂકી છે. સ્થાનિક પ્રશ્નોને પણ એમણે વાચા આપી હતી, વધુમાં સચિન પી આઈ એન એ દેસાઇએ મોટી સંખ્યામાં પધારેલ નગરજનોને કહ્યું કે, કોઈ પણ ઉમેદવાર કે ટેકેદાર આપને ઉસ્કેરે અને તકરાર કરાવે તો ઝગડતા નહીં, કોની દીવાલ પર કે સોશિયલ મીડીયા પર કોઇની પ્રતિષ્ઠા ખરડાય તેમ લખાવે તેવા મેસેજ કે દીવાલ ઉપર પેન્ટ લખવા નહીં એમાં આપ જ ગુન્હાંમાં ફસાઈ જશો અને દરેક ચુંટણીમાં આપે પોલીસ સ્ટેશનના મહેમાન બનવું પડશે માટે કોઈના ટેકેદાર કે હાથો બનતાં નહીં એવું જણાવ્યું હતું. કાર્યક્રમના શરૂઆતમાં મંદિરના ટ્રસ્ટી રાકેશ પાટિલે ફૂલોથી સહુનું સ્વાગત કર્યું હતું, આ સાથે પી. એસ. આઈ. મનીષ રાઠોડ, વી. એમ. મકવાણા, તથા હેકો જયેશભાઇ ગામિત સહિત હોમગાર્ડ પ્રકાશ મોર્ય અને એનસીસીના અંકિત કશ્યપ હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન સિનિયર સીટીઝન અને શ્રી મહારાષ્ટ્રીયન મંડળના ડાયરેક્ટર અને ડેવલોપમેન્ટ કમિટીના પ્રમુખ પ્રકાશ ભાવસારે કર્યું હતું.
Comments