વાંઝ ગ્રામ પંચાયત અને ભાજપ દ્વારા સ્વામી વિવેકાનંદ જયંતિની ઉજવણી થઈ
- Praja Pankh
- Jan 12, 2021
- 2 min read
સચિન : આજે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે કોરોનાની ગાઈડ લાઇનનું પાલન કરી સચિન નજીક આવેલ વોર્ડ.નં.30 ની બાજુમાં ગાંધીજીના ચરણોથી પવિત્ર થયેલ ઐતિહાસિક વાંઝગામના વાંઝ ગ્રામ પંચાયત પરિવાર અને ભાજપ દ્વારા તથા ગામ પરિવાર લોકો અને કાર્યકર્તાના સહકારથી સ્વામિ વિવેકાનંદજીને પુષ્પમાળા અને પુષ્પ અર્પણ કરી વંદન કરીને એમના જીવનની મહત્વની વાતો કે જે જીવનમાં ઘણી મહત્વની છે જે બાબતે વાંઝ સરપંચ પ્રિતેશ વાંઝવાળા એ પ્રકાશ પાડ્યો હતો. સરપંચે કહ્યું કે, સ્વામી વિવેકાનન્દનો જન્મ સંવત ૧૯૧૯ના પોષ વદ સાતમને સોમવાર અને ૧૮૬૩ના જાન્યુઆરી માસની ૧૨મી તારીખે થયો હતો. તેમનુ વાસ્તવિક નામ નરેન્દ્ર નાથ દત્ત હતુ. તેઓ વેદાન્ત ના વિખ્યાત અને પ્રભાવશાલી આધ્યાત્મિક ગુરુ હતા. તેમણે અમેરિકા સ્થિત શિકાગો નગરમાં સન્ ૧૮૯૩ મા આયોજિત વિશ્વ ધર્મ મહાસમ્મેલનમા સનાતન ધર્મનુ પ્રતિનિધિત્વ કર્યુ હતુ. ભારતનુ વેદાન્ત અમેરિકા અને યૂરોપ ના દરેક દેશ મેં સ્વામી વિવેકાનંદ ના ઉપદેશના કારણે જ પહોંચ્યો હતો. પોતાના અભિપ્રાય થકી સમગ્ર વિશ્વને હલાવી દેવાની શક્તિ તેઓમાં હતી. તેમણે રામકૃષ્ણ મિશન ની સ્થાપના કરી હતી, જે આજે પણ્ સક્રીય રીતે કામગીરી બજાવે છે. તેઓશ્રી રામકૃષ્ણ પરમહંસ જી ના સુયોગ્ય શિષ્ય હતા. સ્વામી વિવેકાનંદ મૂળ બંગાળ ના નિવાસી હતા. સ્વામી વિવેકાનંદજીએ ૧૯૦૨ના જુલાઇ માસની ચોથી તારીખે શુક્રવારે ૩૯ વર્ષ, ૫ માસ અને ૨૪ દિવસનું આયુષ્ય ભોગવીને મહાસમાધિ લીધી હતી એવા મહાન સ્વામી વિવેકાનંદજીની યાદમાં એમની જન્મ જયંતી ઉજવી રહ્યા છીએ અને આ પ્રસંગે વાંઝના ઉપસરપંચ સમીર પટેલ કહ્યું કે, જન્મ જયંતી નિમિત્તે આજે ચોર્યાસી તાલુકા ઉપપ્રમુખ ભાજપ સંગઠન સુનીલસિંહ ગોહિલ, ભાજપ યુવા મોરચા પ્રમુખ ચિરાગ પટેલ, ચોર્યાસી તાલુકા ભાજપ પ્રવકતા તેજલસિંહ ગોહિલ, વકતાણા યુવા સરપંચ અભિષેક નાયક, અને વાંઝ ગામ સરપંચ પ્રિતેશ વાંઝવાળા અને ઉપ સરપંચ સમીર પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, સ્વામિ વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે ખાસ સ્થાનિક કક્ષાએ ભાજપ યુવા મોરચા દ્વારા બાઇકરેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી વાંઝ ગામ વિસ્તારમાં ફરી હતી. રેલીની આગેવાની સ્થાનિક પદાધિકારીઓએ લીધી હતી એવું જણાવ્યું હતું.
Commentaires