વાંઝ ગામના ડેપ્યુટી સરપંચ તરીકે ઉર્શિલા બેન સમીરભાઈ પટેલની નિયુક્તિ થઈ
- Praja Pankh
- Jan 18, 2022
- 1 min read


સચિન પ્રજપંખ : ઐતિહાસિક ગામ વાંઝની ગ્રામ પંચાયતમાં બિન હરીફ ડે.સરપંચ તરીકે કરવામા આવી જેમા વર્ષોથી ગામની સેવા કરનારા અને ડે. તથા સરપંચ તરીકેની સેવા આપનારા એવા સમિરભાઇ પટેલના ધર્મ પત્ની શ્રીમતી ઉર્શિલાબેન સમિરભાઇ પટેલની ડે.સરપંચ તરીકે ઘોષણા કરવામાં આવતાં ગામમા ખુશીની લહેર છવાઇ છે. આ સાથે સરપંચ તરીકે ચુંટાયેલા શ્રીમતી હીનાબેન પરેશભાઇ પટેલ, તથા અન્ય સદસ્ય તરીકે જતિન વાંઝવાળા, શ્રીમતી લલિતાબેન રાઠોડ, શ્રીમતી લક્ષ્મીબેન રાઠોડ, શ્રીમતી તનુજાબેન ટેલર, શ્રી ભુપેંદ્રભાઇ સુરતી, શ્રી હિતેંદ્રભાઇ રાઠોડ અને યોગેશભાઇ રાઠોડ મળીને ગામના વિકાસમા સિંહ ફાળો આપશે એવું સમિર પટેલે જણાવ્યું છે.
Comentários