વનિતા વિશ્રામમાં કુંચલા આર્ટ ગ્રુપનું ત્રણ દિવસીય પેઇન્ટિંગ એકઝીબીશન
- Praja Pankh
- Oct 12, 2022
- 1 min read
સચિન : તા. ૧૪/૧૦/૨૦૨૨ ના રોજ સુરતના કુંચલા આર્ટ ગ્રુપનું પહેલું ત્રણ દિવસીય પેઇન્ટિંગ એકઝીબીશન ચિત્રકારો અને ચિત્રપ્રેમીઓ માટે વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી સુરત ખાતે આયોજિત કરેલ છે. રાકેશ ગોહિલ સરના સાંઈ રાજ આર્ટ, નેજા હેઠળ કુલ ૧૦ કલાકારો પોતાની અદાંજીત ૧૫૦ જેટલી કલાકૃતિ નું જીવંત પ્રદર્શન કરશે અને એકઝીબીશનનો સમય ત્રણે દિવસ સવારે ૧૧ થી રાત્રીના ૮ સુધીનો રાખવામાં આવ્યો છે. આ ચિત્રપ્રદર્શનમાં કલાપ્રેમીઓ માટે ફ્રી એન્ટ્રી છે. જેથી આર્ટ પ્રેમીઓ પ્રદર્શિત પેઈંટીંગ્સનો લુપ્ત ઉઠાવી શકશે એવું કુંચલા આર્ટ્સના આર્ટીસ્ટો એ જણાવ્યું છે.
Comments