top of page

લાજપોરનાં વાડી ફળિયા યુવા ગ્રુપ દ્વારા પ્રથમ રક્તદાન્ કેમ્પ યોજાયો ’

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Sep 26, 2021
  • 1 min read

કોરોના ની ત્રીજી લહેરથી ન ઘબરાતાં રક્તદાતાઓએ ૩૬ યુનિટ રક્ત દાન કરી માનવતાનું કાર્ય કર્યું.......’’

“ લાજપોર ડે.સરપંચ અશોક પટેલએ ઉદઘાટન કર્યુ હતું અને પ્રસંગને અનુરુપ પોતાના વિચારોમાં જણાવ્યુ કે, આજે પણ રોજ ૧૦-૧૫ બોટલ રક્ત જોઇએ ની ડિમાંડ સાંભળીએ છીએ. આજે રક્તોની વિવિધ ગ્રુપોની અછત છે. હાલમા કેટલાય મહિનાથી મહામારીને લઇને ઓછાં રક્તદાન શિબિરો થઈ રહ્યા છે. આ કારણે ઘણી અછત જોવા મળે છે. સુરત કે દેશમા રક્તની અછત નહિ સર્જાય અને રક્તની જરુરીયાતવાળાં દર્દીઓને સમયસર રક્ત મળી રહે તે હેતુસર લાજપોર નાં યુવા વર્ગના આ શાહબાઝ ખાન અને સમિરખાનની ટીમ દ્વારા આ રક્તદાન કેમ્પ આયોજીત કરાયો છે.


સચિન પ્રજા પંખ પ્રતિનિધી દ્વારા : આજે લાજપોર વાડી ફળિયા ખાતે પધારેલ મહેમાનોએ રક્તદાતા યુવાનોને પ્રોત્સાહીત કર્યા હતાં. આ રક્તદાન શિબિરનું આયોજન યુવા શાહબાઝ ખાન અને આમિર ખાનની ટીમ દ્વારા હાથ ધરાયું હતું. જેમા સ્થાનિક સમાજ સેવક અને ભાજપના ચોર્યાસી તાલુકા લઘુમતિ મોરચાના મહામંત્રી અબુભાઈ હક દ્વારા સારી એવી વ્યવસ્થા પણ કરાઈ હતી, બાબુભાઈ મેલેરિયા દ્વારા બોલપેન આપી તથા ફારુખભાઈ કોલા અને અહમદભાઈ કોલાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી અને સાથે નઝીર ખાન, માસૂમ રાવત, અને ગુલમાભાઈની હાજરી રહી હતી

અને એમણે પણ રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા આ રક્તદાન શિબિર વાડી ફળિયા મોહલ્લામાં જ આયોજીત કરાયો હતો. આ આયોજીત શિબિરમાં ૩૬ યુનિટ યુવા રક્તદાતાઓએ દાન કર્યું, આ જોઈ અબુભાઈ હક અને બાબુભાઇએ આ સમયે દરેક સમાજ, સંસ્થા અને મંડળીઓ, ફેકટ્રીઓ તથા અન્ય રક્તદાતાઓ આગળ આવે અને આવા કેમ્પનું મોટા પાયાપર આયોજન કરે તેવી અપીલ કરી હતી. જેથી દર્દીઓની રક્તની માંગણી સંતોષી શકાય તે માટે આવા શિબિરોનું આયોજન બહુજ જરુરી છે જણાવ્યું હતું...નવસારીની સુશ્રુષા બ્લડ બેંક ને ૩૬ યુનિટ અર્પણ કરાયા હતાં

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page