લોક ડાઉન ઉઠી ગયું તિથલ ખૂલ્યું અને ઉભરાટ બીચ પર તાળાબંધી શા માટે ?
- Praja Pankh
- Jan 21, 2021
- 2 min read
ઉભરાટ બીચને તાળાબંધી છે. જ્યારે સાપુતારા, તિથલ કોવિડ 19ની ગાઈડ લાઇન પ્રમાણે ખૂલી ગયું છે. રોજી રોટી થી સ્વનિર્ભર બનવા માટે શ્રી ઉભરાટ પરિસરીય પ્રવાસન વિકાસ સહકારી મંડળી, લી. દ્વારા મે. કલેકટર નવસારીને બે વાર આવેદન પત્ર આપ્યું.
આપ સહેલાણીઓએ ઉભરાટ જવા પહેલા વિચારજો, જો કે અહી પ્રાઈવેટ રિસોર્ટ અને ફિલ્મસિટી જેવા જોવા લાયક સ્થળો હોવાથી અહીના બીચ ખુલ્લા છે. જ્યારે ઉભરાટનો બીચ પ્રસાસન દ્વારા બંધ રખાયો છે. ગામના ઉપ સરપંચ શ્રી નિલેષભાઈ પટેલએ કહ્યું કે, અમારા ગરીબોની લારી ગલ્લા બંધ થઈ જતાં રોજી રોટી બિલકુલ છીનવાઈ ગઈ છે અને ખાનગી રિસોર્ટની કમાણી ચાલુ છે અને ગામના ગરીબોની નાની મોટી દુકાનો કે, લારી ગલ્લા બીચ બંધના કારણે બિલકુલ બંધ છે. જેથી અમે ઉભરાટ ગામ દ્વારા મે. કલેકટર નવસારીને બે વાર આવેદન પત્ર આપ્યું છે. હવે જોવાનું એ રહે કે ક્યારે ઉભરાટ બીચ શરૂ થાય અને ગરીબોને રોજગારી ક્યારે મળી રહે જેથી તેઓ સ્વનિર્ભર થઈ શકે ?
સચિન : સરકારના આદેશ અનુસાર લોકડાઉન દરમિયાન ઉભરાટ બીચને સહેલણિયો માટે બંધ કરવામાં આવેલ છે, જ્યારે સાપુતારા અને તિથલ બીચ ખુલ્લો મુકાયો છે. ઇતિહાસ કહે છે. અહી ઉભરાટ બીચ પર વધુ ઈકોનોમી સહેલાણીઓ સારા પ્રમાણમાં આવે છે, જેનાથી પ્રવાસન વિભાગને સારું વળતર પણ મળે છે. આજે લોકડાઉન ઉઠી ગયું છતાં ઉભરાટ બીચને તાળાબંધી છે. જ્યારે સાપુતારા અને તિથલ કોવિડ 19ની ગાઈડ લાઇન પ્રમાણે ખૂલી ગયું છે. આપ સુરતીઓ કે અન્ય જિલ્લાના પ્રવાસી સહેલાણીઓએ ઉભરાટ જવા પહેલા વિચારજો, જો કે અહી પ્રાઈવેટ રિસોર્ટ અને ફિલ્મસિટી જેવા જોવા લાયક સ્થળો હોવાથી અહીના બીચ ખુલ્લા છે. જ્યારે ઉભરાટનો બીચ પ્રસાસન દ્વારા બંધ રખાયો છે. ઉભરાટ ને ભૌગોલિક રીતે જાણીએ તો નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાનું આ ઉભરાટ ગામ દરિયા કિનારે વસેલું છે. અહીની ગરીબી રેખાથી નીચે જીવન જીવતા લોકો માટેની રોજગારી કહીએ તો ફક્ત સહેલાણિયો પર નિર્ભર છે. અહી દરેક તહેવારોમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે કેમ કે, અહી કીડિયોની જેમ સહેલાણીઓ દરિયાની મજા માણવા ઉમટી પડે છે. લોક ડાઉનમાં ઢીલ થતાં અને કોરોના ગાઈડ લાઇન સાથે એ આશાએ અહી લોકો કેટલાય કિલોમીટરથી નાના મોટા વાહન ચલાવીને દરિયા કિનારે પહોંચે છે. ત્યારે અહી નો એન્ટ્રી ના બેરેક લગાવી રાખ્યા અને બાજુમાં પોલીસ પહેરો છે. જે જોઈને નિરાસ થઇ સહેલાણિયો પાછા ફરે છે. હવે પ્રશ્ન એ થાય છે કે, પ્રસાસન દ્વારા નવસારી કે મરોલી ચાર રસ્તા પર “ઉભરાટ બીચ કોરોના નિમિત્તે બંધ છે” એવો બોર્ડ કેમ નથી લગાવ્યો ? છેક ઉભરાટ દરિયા કિનાર પાસે જ બેરેક કેમ લગાવ્યા છે? આ બેરેક અને પોલીસ ઉભરાટ ગામની એન્ટ્રી ના સ્થળે શા માટે નથી લગાવાયો? વધુ વિગત જાણવા ગામના ઉપ સરપંચ શ્રી નિલેષભાઈ પટેલ સાથે વાત થતાં એમણે કહ્યું કે, અમારા ગરીબોની લારી ગલ્લા બંધ થઈ જતાં રોજી રોટી બિલકુલ છીનવાઈ ગઈ છે. નવસારી કે મરોલીથી આગળ આવતા રસ્તામાં કોઈ સૂચનાના બોર્ડ ન હોવાથી સહેલાણીઓને લાંબા કિલોમીટરનો ખોટો ફેરો થાય છે. જેથી ખાનગી રિસોર્ટની કમાણી ચાલુ છે અને ગામના ગરીબોની નાની મોટી દુકાનો કે, લારી ગલ્લા બીચ બંધના કારણે બિલકુલ બંધ છે. જેથી અમે શ્રી ઉભરાટ પરિસરીય પ્રવાસન વિકાસ સહકારી મંડળી, લી. દ્વારા મે. કલેકટર નવસારીને બે વાર આવેદન પત્ર આપ્યું છે. જેનો પણ જવાબ આજદિન સુધી મળ્યો નથી. જો કે ગત રોજ અમે રૂબરૂ મે. કલેક્ટરને મળવા જતાં મે. કલેકટરના ધ્યાને તિથલ બીચ ઓપન થયાની વાત લાવતા તેઓએ આશ્વાસન આપ્યું છે કે બે ચાર દિવસમાં શરૂ કરીએ, હવે જોવાનું એ રહે કે ક્યારે ઉભરાટ બીચ શરૂ થાય અને ગરીબોને રોજગારી ક્યારે મળી રહે જેથી તેઓ સ્વનિર્ભર થઈ શકે ?
Comments