રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી થઈ
- Praja Pankh
- Feb 25, 2021
- 1 min read
પ્રજા પંખ સચિન : ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ હસ્તકની ગુજરાત કાઉન્સિલ ઓન ટેકનોલોજી(GUJCOST) ગાંધીનગર-પ્રાયોજિત સમગ્ર સુરત જીલ્લા કક્ષાનું અમારું જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર-સુરત(District Community Science Centre) છેલ્લા 16 વર્ષથી સુરત ખાતે કાર્યરત છે. વિજ્ઞાનના પ્રચાર અને પ્રસારને લગતા અનેકવિધ કાર્યક્રમો/સ્પર્ધા યોજવામાં આવે છે. ગત ૨૮-ફેબૃઅરીએ સમગ્ર ભારતમાં આપણા ભારતના મહાન વૈજ્ઞાનિક અને રમણ ઇફેક્ટની શોધકનાં સન્માનમાં નોબલ પુરસ્કાર વિજેતા તેવા મહાન વૈજ્ઞાનિકની યાદમાં આ દિવસ “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” ઉજવણી થાય છે, આ વર્ષે મુખ્ય થીમ :Future of STI: Impact on Education, Skill and Work પર કાર્યક્રમો યોજવામાં આવ્યા, અમારાં CSC-સુરત દ્વારા આજ રોજ 25-ફેબૃઅરીના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ, જેમકે પ્રથમ,
1. ભારતીય મહાન વૈજ્ઞાનિક અને નોબલ વિજેતા ડો. સી.વી.રામનના જીવન ચરિત્ર તેના રમન ઇફેક્ટ કિરણ પર કરેલ સંશોધન અને યોગદાન વિષે શ્રી મનસુખભાઇ નારિયા, સાયન્સ ઑ-કોર્ડિનેટર/ પૂર્વ આચાર્યશ્રી, અને ખગોળશાસ્ત્રીએ પોતાનું તજજ્ઞ વક્તવ્ય શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલ, વેડ-રોડ ખાતે 80 જેટલા વિધાર્થીઓ અને શિક્ષકો સમક્ષ પાવરપોઈન્ટ પ્રેસેંટેશન આપી ખૂજ રસપ્રદ રીતે માહિતી/ માર્ગદર્શન આપ્યું હતું,
2. જ્યારે બીજા કાર્યક્રમમાં આજ શાળાના 75 જેટલા વિધાર્થીઓ/શિક્ષકો બીજા ગ્રૂપ સમક્ષ અંધશ્રદ્ધા નિર્મૂલન જાગૃતિ વિષે વિજ્ઞાનના વિવિધ પ્રયોગો અને હાથ ચાલાકીના પ્રયોગો દ્વારા જે કઈ છેતરપિંડીની ઘટતાઑ બને તેના ખુલાસાઓ દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું, બાળકો આનંદ / મજા સાથે વિજ્ઞાન શીખ્યા હતા,
3. આ ઉપરાંત ત્રીજા કાર્યક્રમમાં હાલ છેલ્લા એક વર્ષથી ચાલી રહેલ CORANA VIRUS ની મહામારી અંગે બાળકોમાં પણ સાચી અને વૈજ્ઞાનિક જાણકારી મળે તે માટે પોસ્ટર પ્રદર્શન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી જી.એન. કાકડિયા, ડાયરેક્ટર, CSC-સુરત અને સંકલન અરવિંદભાઇ ઠેસિયા, આચાર્યશ્રી, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલ, દ્વારા સફળ રીતે કરવામાં આવેલ હતું.
Comentarios