રીના રાજપૂત દ્વારા વોર્ડ-૩૦માં મીઠા પાણી સમસ્યાની રજૂઆત થઈ
- Praja Pankh
- Jun 16, 2021
- 1 min read

સચીન પ્રજાપંખ : સુરત મહાનગર પાલિકા ખાતે પાણી સમિતિ ની ખાસ બેઠક ગત રોજ બોલાવવામાં આવેલ હતી, જેમાં વોર્ડ ૩૦ ના પાણી સમિતિ સદસ્યા રીના અજિતસિંહ રાજપૂત દ્વારા તમામ સાથી કોર્પોરેટરો હસમુખ નાયકા, ચિરાગસિંહ સોલંકી અને પિયશાબેન પટેલ સાથે ચર્ચા વિચારણા કરી ને, વોર્ડ ૩૦ માં મીઠા પાણીની સમસ્યા ઘણી બધી છે જે બાબતે લેખિતમાં મનપા પાણી સમિતિ ચેરમેન રાકેશભાઈ માલી ને રૂબરૂ રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆત માં સમગ્ર વોર્ડ ૩૦ ની પીવાના પાણીની અનેક સમસ્યા બાબતે લેખિતમાં જાણ કરાઇ છે. જેમાં ઘણી જગ્યાએ
પાઇપ લાઈન જર્જરિત છે જે નવી તથા
રીપેરીંગ માંગે છે, અનેક જગ્યાએ મીઠા પાણીનો સમય ઓછો છે, કોઈ જગ્યાએ ફોર્સ ઓછો છે તો, સચિન માં મીઠું પાણી જ નથી, કોઈ જગ્યાએ વાલવ રિપેર માંગે છે, કોઈ કોઈ જગ્યાએ મીઠા પાણીના સમયની ગંભીર સમસ્યા છે, જે બાબતે તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવા જણાવ્યું છે અને પાણી સમિતિ ચેરમેન રાકેશ માલી એ રીનાબેન રાજપૂત સદસ્ય ને હૈયા ધરપત પણ આપી છે ...
Comments