top of page

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કિશન ભરવાડના ઘરની મુલાકાત લીધી

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Feb 3, 2022
  • 2 min read

સુરતના જાણિતા ભરવાડ સમાજના અગ્રણી અને ગોકુળ ડેવલોપસ ના મેનેજીંગ ડિરેકટર અને બિલ્ડર એવા વિજયભાઇ ભરવાડ પણ ભાવુક હતાં. આ ભાવુકતામા વિજયભાઇએ પણ દીકરીને ખોળામા લીધી અને પોતાની દીકરીની જેમ રાખશે એવી પ્રતિજ્ઞા લીધી અને તેની તમામ જવાબદારીઓ ઉપાડવાની વાત પણ પરિવાર ને અને સમાજને કહેતાં સમાજે તેમને વધાવી લીધા હતાં.

સચિન પ્રજાપંખ : ધંધુકા ખાતે પ્રાર્થના સભામા જઈ કિશન ભરવાડના પરિવારજનોને ખુદ ગુજરાત રાજ્યના ગૃમંત્રી હર્ષ સંઘવી રુબરુ મળ્યા અને સ્વ. કિશનની 20 દિવસીય પુત્રીને રમાડી ભાવુક થયા હતાં. ગુજરાતમાં અલગ અલગ સમાજના સામાજિક અગ્રણીઓ અને સંતો આ મામલે દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે. ગત રોજના પ્રાર્થના સભામાં હાજર સૌ કોઈની આંખો નમ થઈ ગઈ હતી. આ સભામા સુરતના જાણિતા ભરવાડ સમાજના અગ્રણી અને ગોકુળ ડેવલોપસ ના મેનેજીંગ ડિરેકટર અને બિલ્ડર એવા વિજયભાઇ ભરવાડ પણ ભાવુક હતાં. આ ભાવુકતામા વિજયભાઇએ પણ દીકરીને ખોળામા લીધી અને પોતાની દીકરીની જેમ રાખશે એવી પ્રતિજ્ઞા લીધી અને તેની તમામ જવાબદારીઓ ઉપાડવાની વાત પણ પરિવાર ને અને સમાજને કહેતાં સમાજે તેમને વધાવી લીધા હતાં. વિજયભાઇની આવી દરિયાદિલી સહુને હર્ષની લાગણી આપી ગઈ, વિજયભાઇ મૂળ ધંધુકા ના વતની અને હાલ સુરતમાં સમાજ સેવા સાથે સુરતની વિવિધ 7 જેટલી અન્ય સેવાકીય સંસ્થાના ટ્રસ્ટી અને દક્ષિણ ગુજરાત ના ભરવાડ સમાજના પ્રમુખ તરીકે પ્રસ્થાપિત છે. તેઓ માને છે કે, ભરવાડ સમાજ 100 ટકા શિક્ષણ ક્ષેત્રે આગળ વધે, સમાજ ઉત્થાન માટે એક યાત્રા પણ આયોજિત કરી હતી. આમ એક સમાજ સેવી દ્વારા કિશન ભરવાડની દીકરીની જવાબદારી પણ પોતે ઉઠાવી લેશે એવું જણાવ્યું છે. તેઓએ સમાજનું ઋણ ચુકવવું એ વિચારે, ૨૦૦૯માં સારાભાઈ ભડિયાદરા એજ્યુકેશન ટ્રસ્ટની સ્થાપના પણ કરી છે, તેઓ કહે છે સહુના સાથ, સહકાર અને સમાજ પ્રેમ થકી સમાજના દરેક આપત્તિ, મુશ્કેલી કે શિક્ષણ માટે પરિવર્તનના કાર્યમાં મદદ કરતો રહું છું. સર્વ કામો નિષ્ઠાથી પૂર્ણ કરવા કટીબધ્ધ રહું છુ. કર્મ જ આપણી સાચી મૂડી છે એ મંત્ર સાથે આગળ વધી રહયો છુ તેમ મારી સેવા કાર્યની ટીમ પણ મોટી બનતી જાય છે એટલે દરેક સેવાના કાર્યોમાં સહકારથી સફળતા પ્રાપ્ત કરું છુ. શૂન્યમાંથી સર્જન કર્યું હોવાથી જરૂરિયાતમંદ લોકો ની પીડા સમજી હૃદય સુધી પહોચુ છુ. આજે ભરવાડ સમાજ માટે મહત્વની વાત એ છે કે કિશન ભરવાડની હત્યા પછી તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. નાની ઝેરોક્ષની દુકાન ચલાવી ગુજરાન ચલાવનારા પરિવારને આવા સંકટના સમયે ભરવાડ સમાજના એક વિજય નામક મોભી આગળ આવ્યો અને 20 દિવસની દીકરીની સંપુર્ણ જવાબદારી પોતે લઈ લીધી છે. જેમાં શિક્ષણથી લઈને લગ્ન સુધીને તમામ જવાબદારી આ વિજયભાઈ ભરવાડે સ્વીકારી છે જે માટે ભરવાડ સમાજ હમેશાં વિજયભાઇ નો ઋણી રહેશે એવું સચીનના સમાજ સેવી અને ભુતપુર્વ ચોર્યાસી તાલુકા સદસ્ય તથા વિજયભાઇના ભાઇ જગદિશભાઇ ભડિયાદરાએ જણાવ્યું છે.

 
 
 

Comentarios


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page