top of page

યુવા સમાજસેવક ધવલ અકબરીના જન્મદિને રક્તદાન કેમ્પ યોજાયો: ૯૦ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Jun 1, 2021
  • 1 min read

સુરત:મંગળવાર: કોરોના મહામારી દરમિયાન સેવાકીય કાર્યો કરીને ગરીબો તેમજ જરૂરિયાતમંદ લોકો, કોરોનાગ્રસ્તોને મદદરૂપ થનાર સુરતના યુવા સમાજસેવક ધવલભાઈ અકબરીના જન્મદિન -તા.૧લી જૂને હરભોલે પાર્ટી પ્લોટ, મોટા વરાછા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ૯૦ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. સાંસદ દર્શનાબેન જરદોશ અને ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયા સહિત કોર્પોરેટરોએ વિશેષ ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતાં.

હરભોલે ફાઉન્ડેશનના અધ્યક્ષ ધવલભાઈ અકબરીના જન્મદિનને સેવાકીય કાર્યો સાથે ઉજવવા માટે 'રક્તદાન મહાદાન'ના સૂત્રને સાર્થક કરતાં આ કાર્યક્રમમાં તમામ રક્તદાતાઓને આકર્ષક સ્મૃત્તિભેટ આપીને સન્માનિત કરાયા હતાં. યુનિવર્સલ ફાઉન્ડેશનના અધ્યક્ષ પ્રકાશકુમાર વેકરીયાના સંકલનમાં રક્તદાતાઓ ઉત્સાહભેર બ્લડ ડોનેટ કરી સેવામાં સહભાગી થયાં હતાં. એકત્રિત રક્તને રેડક્રોસ બ્લડ બેંક, સ્મીમેર બ્લડ બેંકમાં જમા કરવામાં આવ્યું હતું. આ વેળાએ ઓલ ઇન્ડિયા બ્લડ ડોનર્સ સંસ્થા પણ સહભાગી થઈ હતી. જન્મદિન ઉજવણીમાં ૭૦ કિલોની કેક કાપવામાં આવી હતી, જેને ઉપસ્થિત બાળકો અને રક્તદાતાઓમાં વિતરિત કરાઈ હતી.

હાલ કોરોનાની સ્થિતિમાં રક્તની અછત વર્તાઈ રહી છે, ત્યારે ધવલભાઈ અકબરીએ પોતાના જન્મદિનની રક્તદાન વડે ઉજવણી કરીને સહાયરૂપ થવાની પ્રેરક પહેલ કરી હતી.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page