top of page

મેયર, મ્યુ.કમિશનરે તાઉ’તેવાવાઝોડાની સામે સલામતી માટે દરિયાપટ્ટીના વિસ્તારના ગામોની મુલાકાત લીધી

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • May 17, 2021
  • 1 min read








સુવાલી બીચ તથા સુવાલી ગામની મુલાકાત લઈને લોકોને સલામત સ્થળે ખસેડવા અંગે સૂચનો કર્યા


સુરતઃસોમવારઃ તાઉ’તે (Tau’Te) વાવાઝોડાની સામે અગમચેતીના ભાગરૂપે સુરત જિલ્લાના હજીરા વિસ્તારના દરિયાકિનારાના ગામલોકોની સુરક્ષા અને સલામતી માટે આજે સુરત મહાનગરપાલિકાના મેયર શ્રીમતિ હેમાલી બોઘાવાલા સહિતની ટીમે દરિયાપટ્ટીના વિસ્તારના ગામોની મુલાકાત લીધી હતી. આ વેળાએ ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલ, સ્થાયી સમિતિના ચેરમેનશ્રી પરેશ પટેલ, મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાની, ખાસ ફરજ પરના અધિકારીશ્રી એમ.થેન્નારસને સુવાલી ગામ તથા સુવાલીબીચની મુલાકાત લઈ કાચા ઘરોમાં રહેતા લોકોને ત્વરિત સલામત સ્થળે ખસેડવા અંગે તંત્રને સૂચનાઓ આપી હતી.

સુવાલી ગામે કોમ્યુનિટી હોલ ખાતે સ્ટેન્ડ બાય રહેલી એન.ડી.આર.એફ.ની ટીમને સતર્ક રહેવા તથા ગામના સરપંચ સહિતના લોકોને વાવાઝોડા દરમ્યાન સલામતી માટેના ત્વરિત પગલા અને રેસ્ક્યુ કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું. વાવાઝોડાની અસર દરિયાપટ્ટી વિસ્તારમાં થાય તે દરમ્યાન લોકોનું સ્થળાંતર કરવામાં સાથ સહકાર આપવા માટે અનુરોધ કર્યો હતો.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page