મહિધરપુરા પોલીસ સ્ટેશન હવે ટેલીફોન ભવન,પહેલા માળે. ફાલસાવાડી પોલીસ લાઇનની બાજુમાં,રીંગરોડ,સુરત.
- Praja Pankh
- Feb 4, 2022
- 1 min read

મહિધરપુરા પોલીસ સ્ટેશનનું કાર્યસ્થળ સ્થળાંતરીત થયેલ હોય તે બાબતે હવે જાહેર જનતા એ મહિધરપુરા પોલીસ સ્ટેશનના દરેક કામ માટે હવે ઉપરના નવા સ્થળે જવાનું રહેશે...

સચિન પ્રજાપંખ : સરકારના નવા મેટ્રો રેલ પ્રોજેક્સ્ટ અંતર્ગત મેટ્રો સ્ટેશન માટે જગ્યા ખાલી કરી, મહિધરપુરા પોલીસ સ્ટેશનની સ્થળાંતરીત કરેલ ઓફીસો આજરોજ તા. ૦૪/૦૨/૨૦૨૨ ના રોજ માનનીય પોલીસ કમિશ્નર સા.શ્રી, સુરત શહેર નાઓના વરદ હસ્તે, અધિક પોલીસ કમિશ્નર સા.શ્રી, સેક્ટર -૧, સુરત શહેર, નાયબ પોલીસ કમિશ્નર સા.શ્રી, ઝોન-ર, સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશ્નર સા.શ્રી "સી" ડિવિઝન, સુરત શહેર નાઓની હાજરીમાં "ટેલીકોન ભવન, પહેલા માળે. ફાલસાવાડી પોલીસ લાઇનની બાજુમાં, રીંગરોડ, સુરત શહેર" ખાતે ખુલ્લુ મુકવામાં આવેલ છે.
Comments