top of page

મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરે વિશ્વ પુસ્તકદિનની યથાર્થ અને અવિતરત ઉજવણી...

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Apr 23, 2021
  • 3 min read


*સૌને સદ્ગ્રંથોનું વાંચન કરવા માટે સંદેશો પાઠવતા શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી...*

વિશ્વની સભ્યતા અને સંસ્કૃતિનો આધારસ્તંભ તેનાં પુસ્તકો છે. જે તે સંસ્કૃતિનાં પુસ્તકો બચી જાય તો તેની સંસ્કૃતિ પણ જળવાઈ રહે. હજારો વર્ષો પછી પણ ભારતીય સંસ્કૃતિ ટકી રહી છે તેનાં મૂળમાં વેદો, રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભગવદ્ગીતા વગેરે ધાર્મિક ગ્રંથો છે.

સારાં પુસ્તકો સાથે દોસ્તી થઈ જાય તો માનવી ગમે તેવી વિકટ પરિસ્થિતિનો પણ હિંમતપૂર્વક અને આનંદથી સામનો કરી શકે. પુસ્તકોનું મહત્ત્વ દર્શાવતા લોકમાન્ય ટિળક કહે છે : “હું નરકમાં પણ સારાં પુસ્તકોનું સ્વાગત કરીશ, કારણ કે તેમનામાં એટલી શક્તિ છે કે તેં જ્યાં હશે ત્યાં આપોઆપ સ્વર્ગ બની જશે.”

સારાં પુસ્તકોના મહત્ત્વનો સ્વીકાર સમગ્ર વિશ્વમાં કરવામાં આવ્યો છે. આથી જ શાળા, ગામ અને શહેર એમ વિવિધ સ્થળોએ પુસ્તકાલયો બનાવવામાં આવે છે. વિશ્વનું સૌથી મોટું પુસ્તકાલય અમેરિકાના વોશિંગ્ટન ડી.સી.માં આવેલું છે, જેમાં 170 મિલિયનથી વધારે પુસ્તકો 3100 થી વધારે કર્મચારીઓ કામ કરે છે, જેનું વાર્ષિક બજેટ `

પુસ્તકોનું મહત્ત્વ સ્વીકારીને યુનેસ્કો દ્વારા ઈ.સ.1995થી અને ભારતમાં 2001થી 23મી એપ્રિલને વિશ્વ પુસ્તકદિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિશ્વમાં અનેક સ્થળોએ પુસ્તકમેળો, પુસ્તક રસદર્શન- પરિસંવાદ વગેરે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું. કોરોનાની મહામારીને કારણે પુસ્તકમેળાનું આયોજન હાલમાં શક્ય નથી, પરંતુ આ વિકટ પરિસ્થિતિમાં સારાં પુસ્તકો સાથે દોસ્તી કરવામાં આવશે તો મુશ્કેલી ચોક્કસ હળવી થઈ જશે.

વર્ષમાં એક દિવસ પુસ્તકદિનની ઉજવણી કરવી એ સારી વાત છે, પરંતુ વર્ષભેર અવિરતપણે પુસ્તકના પ્રચાર અને પ્રસારનું કાર્ય કરવું અને વંદનીય અને અભિનંદનીય છે. આવાં કાર્યો કરનાર વ્યક્તિઓ અને સંસ્થાઓને યાદ કરીએ અને તેમના વિશે આછેરી જાણકારી મેળવીએ.

લોકોમાં સંસ્કારોનું સિંચન થાય તેવું ઉત્તમ સાહિત્ય ખૂબ વાજબી ભાવે મળી રહે તે માટે ભિક્ષુ અખંડાનંદે ‘સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય’ની અમદાવાદમાં ઈ.સ.1907માં સ્થાપના કરી. ધર્મ, નીતિ, ઐતિહાસિક, જીવનચરિત્ર, આરોગ્ય અને બીજા લોકોપકારક અનેક નાનામોટા ગ્રંથો સસ્તા મૂલ્યે લાખોની સંખ્યામાં પ્રસિદ્ધ કરેલા. ઈ.સ.1942 સુધી ભિક્ષુ અખંડનંદે એકલે હાથે આ સંસ્થાનું સુકાન સંભાળેલું. આજે પણ અનેક ઘરોમાં આ પુસ્તકો ઉપલબ્ધ હશે.

હાલમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા એકદમ વાજબી ભાવે (પડતર કિંમતના પણ માત્ર 10%) પુસ્તકોના પ્રચાર અને પ્રસારનું કાર્ય ચાલી રહ્યું છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનને પુસ્તકો ખૂબ પ્રિય હતા. પુસ્તકોના લેખન માટે સંતો- ભક્તોને તેઓ પ્રોત્સાહન આપતા હતા. શ્રી સ્વામિનારાયણ ભગવાનાની શ્રીમુખવાણી ‘વચનામૃત’ રૂપે અને તેમણે આપેલી આચારસંહિતા ‘શિક્ષાપત્રી’રૂપે લાખો ભક્તોના ઘરમાં છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની નાદવંશીય પરંપરા : યોગીવર્ય શ્રી ગોપાળાનંદ સ્વામીબાપા, શ્રી નિર્ગુણદાસજી સ્વામીબાપા, શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપાએ આપેલ ઉપદેશો આજે તેમની વાતો નામે પ્રસિદ્ધ છે. શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ *‘શ્રી સ્વામિનારાયણબાપા ચરિત્રામૃત સાગર’* નામે સંસ્કૃત ગ્રંથનું લેખન કર્યું છે, જેમાં 20,000 થી વધારે શ્લોક છે. જીવનપ્રાણ સ્વામીબાપાએ અને શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજીએ પુસ્તક પ્રચાર માટે અનેકવિધ કાર્યો કર્યાં.

શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રીને પુસ્તકો બહુ પ્રિય. એમના અંતરની ભાવના એવી કે, સારાં પુસ્તકો ઘર-ઘર સુધી પહોંચવા જોઈએ. આથી તેઓશ્રીએ ઈ.સ.2010માં શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રીને સંસ્કારપોષક પુસ્તકોનું તદ્દ્ન નજીવી કિંમતે વેચાણ કરવા પ્રાર્થના કરી. પરમ પૂજય આચાર્ય સ્વામીશ્રીએ લોકોપયોગી પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. સૌ ટ્રસ્ટીઓએ સર્વ સંમતિથી નિર્ણય કર્યો કે, હરિભક્તોના સૌજન્યથી પુસ્તકોનું પ્રકાશન કરવું અને અતિ વ્યાજબી ભાવે – પડતર કિંમતના માત્ર 10% રકમે પુસ્તકોનું વેચાણ કરવું. ઘરે-ઘરે સારાં પુસ્તકો પહોંચે - આ ઉમદા વિચારને ભક્તોએ ખૂબ ઉમળકાથી વધાવી લીધો અને આર્થિક સૌજન્ય પૂરું પાડ્યું. છેલ્લા દસ વર્ષમાં આશરે બાર લાખ જેટલાં પુસ્તકો છપાયા અને અસંખ્ય લોકોના ઘર-ઘર સુધી પહોંચ્યાં છે.

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા માત્ર ધાર્મિક પુસ્તકો જ નહીં, પરંતુ ‘સરદાર પટેલ- એક સિંહપુરુષ’, ‘ગાંધી ટીળક નોખા અનોખા’, ‘ ટિળકની ટેક, સરદારની ભેખ’, વગેરે જેવાં ઐતિહાસિક અને ‘જીવનપુષ્પ’, ‘વ્યસનનું વમળ’, ‘કર્તવ્યનું કમળ’ સામાજિક પુસ્તકોનું અને બાળ સાહિત્યનું પણ પ્રકાશન કર્યું છે. ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી વગેરે ભાષાઓમાં ગદ્ય,પદ્ય ગ્રંથો પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ પુસ્તકો http : //www.swaminarayangadi.com/Publications પરથી વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાય છે.

શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે આજના ઐતિહાસિક દિને - વિશ્વ પુસ્તક દિવસના શ્રી સ્વામિનારાયણ ભગવાનની સન્મુખ સજાવટ કરેલા સદ્ગ્રંથોનું પૂજન અર્ચન કરીને વાંચન કર્યું હતું. અને આજના દિવસનું મહાત્મ્ય આવા અનેક ઉમદા કાર્યો કરનાર પરમ પૂજય આચાર્ય સ્વામીશ્રી, પૂજનીય સંતો-ભક્તોને લાખ લાખ વંદન.

શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રીએ શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરમાં બિરાજમાન અધિષ્ઠાતા દેવ સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનના સાનિધ્યમાં પૂજનીય સંતોએ કલાત્મક રીતે સદ્ગ્રંથો ગોઠવ્યા હતા ત્યાં પધારી અને ગ્રંથોનું પૂજન, અર્ચન કર્યું હતું અને સદ્ગ્રંથોનું વાંચન કર્યું હતું તેમજ સૌને સદ્ગ્રંથોનો વિશેષ ને વિશેષ વાંચન - અભ્યાસ કરવા માટે સંદેશો પાઠવ્યો હતો.

 
 
 

Comentários


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page