ભાવસાર ક્ષત્રિય સમાજ હરીનગર ની પદાધિકારિઓની વાર્ષિક બેઠક મળી
- Praja Pankh
- Jan 18, 2022
- 1 min read

સચિન પ્રજા પંખ : ગતરોજ હિંગલાજ માતાના મંદિરે હરીનગર સુરત ખાતે પદાધિકારીઓ તેમજ સમાજના સભ્યોની મિટીંગ સાંજે 4 કલાકે મળી હતી, જેમાં મિટીંગના મુદ્દામાં સમાજના પ્રમુખ શ્રી અરવિંદભાઈ ભાવસાર અને શ્રી પ્રશાંતભાઈ ભાવસાર કે જેમની પાસેના હિસાબ બાબતે ચર્ચા કરાઇ. બીજા મુદ્દામાં મંદિરના છજજાનું રિપેરીંગકામ અને ઉપર નવા પતરાં લગાડવાના કામ માટેની પણ ચર્ચા કરવામાં આવી છે. હાલની ત્રિજી લહેર હોવાથી મકર સંક્રાંતીનો હલ્દી કંકુ નો કાર્યક્રમ મુલ્તવી રાખવામા આવ્યો છે. આમ સામાન્ય ચર્ચા કરીને મિટિંગ પુરી કરવામાં આવી ,મિટિંગ મા હાજર રહેલ વ્યક્તિઓમા સર્વશ્રી. પ્રમુખ અરવિંદભાઈ ભાવસાર, માજીપ્રમુખ ભીખુભાઈ ભાવસાર, માજી ઉપપ્રમુખ પુરુષોત્તમ ભાઈ ભાવસાર, માજી સેક્રેટરી હેમંતભાઈ ભાવસાર, સેક્રેટરી નરેશભાઈ ભાવસાર, ખજાનચી અનિલભાઈ ભાવસાર ઉપપ્રમુખ ગણેશભાઈ ભાવસાર, સદસ્ય સુનિલભાઈ ભાવસાર, જયપ્રકાશભાઈ ભાવસાર, પ્રશાંતભાઈ ભાવસાર, મગનભાઈ ભાવસાર, ભદ્રેશભાઈ ભાવસારઅને વિજયભાઈ ભાવસાર ઉપસ્થિત રહ્યા હતાં.
Commentaires