ભારતીમૈયા વિદ્યાસંકુલ દ્વારા શ્રીકૃષ્ણના ઉચ્ચ વિચારોનાં દર્શન કરાવતાં શ્રી જી ની સ્થાપના..
- Praja Pankh
- Sep 22, 2021
- 1 min read
સચીન પ્રજાપંખ:-સુરત શહેરમાં વેસુ વિસ્તારમાં સ્થિત શ્રી જ્ઞાનભારતી ટ્રસ્ટ સંચાલિત શ્રી ભારતીમૈયા વિદ્યાસંકુલ દ્વારા ભારતીય સંસ્કૃતિની પરંપરાને ધ્યાનમાં રાખી ભારતીય સંસ્કૃતિના વારસાને સાચવી રાખવાના અને સમાજને ઉપયોગી એવા શ્રેષ્ઠ વિચારોનું વ્યાખ્યાન થાય જેના દ્વારા વિદ્યાર્થીઓ નું જીવન ઉચ્ચ ગુણવત્તાવાળુ રહે...સાથે સાથે વિદ્યાર્થીઓ પોતાના શૈક્ષણિક કારકિર્દીમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તથા સમાજને અને દેશને ઉપયોગી એવા શ્રેષ્ઠ વ્યક્તિ બને એ હેતુ સાથે વર્ષ ૨૦૨૧ માં શાળાના આચાર્યશ્રી ડૉ.અખિલેશભાઈ એન નાયક ના શ્રેષ્ઠ નેતૃત્વ અને નિરીક્ષકોના માર્ગદર્શન હેઠળ શિક્ષકો દ્વારા શ્રી ગણેશ ઉત્સવનું આયોજન કરાયું હતું.જેમાં શ્રીકૃષ્ણના જીવન પર આધારિત વિવિધ પ્રસંગો, શ્રીકૃષ્ણના ઉચ્ચ વિચારો, પ્રેરણાદાયક સ્લોગન સાથે રજૂ કરવામાં આવ્યા હતા. જેની સાથે શ્રીમદ્ ભગવદ્ ગીતા ના અઢાર અધ્યાયોના જ્ઞાનને પણ આ પ્રસંગો સાથે પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.
Comments