top of page

ભીમરાડ-ગાંધી સ્મારક પર્યટક સ્થળ તરીકેનાં વિકાસ માટે સરકારે અધધધ 10 કરોડ ફાળવ્યા. . . . .

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Mar 4, 2022
  • 2 min read

સમગ્ર ચોર્યાસી કાંઠા વિસ્તાર અને ભીમરાડ ગ્રામજનો ગાંધી ભુમિ પરથી આજે આભાર સાથે હર્ષની લાગણી સાથે આનંદ વ્યક્ત કરી રહ્યા છે

પ્રજાપંખ સચીન : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારનું પહેલું વિધાનસભા બજેટ સત્ર 2 માર્ચથી શરૂ થઇ ગયું છે. 3 માર્ચના રોજ ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્તમાન રાજ્ય સરકારનું પહેલું અને અંતિમ બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કર્યું હતું જેમાં સાંસદ્શ્રી અને પ્રદેશ પ્રમુખ તથા સહુ ધારાસભ્યોની માંગથી સુરત શહેરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા તથા બ્યુટિફિકેશન માટે ખાસ ભુપેંદ્ર સરકારના અંતિમ બજેટમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કરોડોની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં ભીમરાડ્નાં ઐતિહાસિક સ્થળ ગાંધી સ્મારકના નિર્માણ માટે 10 કરોડ ફાળવ્યા, સાથે લિમ્બાયતમા કોલેજ તથા તાપી રીવરફંડનું પણ ખાસ ધ્યાન અપાયું છે. 1930 થી ભારત દેશના આઝાદી જંગનું લડતનું કેન્દ્ર બનેલું ભીમરાડને હવે સુંદર પર્યટન સ્થળ તરીકે વિકસિત કરવા ગુજરાત સરકારે પ્રજાલક્ષી નિણૅય લઈ પર્યટક સ્થળ તરીકેની જાહેરાત કરી જેથી ભાજપા પ્રદેશ સંગઠન અને ગુજરાત સરકારને સુરત ચોર્યાસી કાંઠા વિસ્તાર ભીમરાડ જેવા ઐતિહાસિક ગ્રામજનો તરફથી અભિનંદનની વર્ષા થઇ રહી છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ૨૪ નવસારી (લોકસભા) સુરત નાં લોકલાડીલા સાંસદશ્રી અને ગુજરાત ભા.જ.પા.સંગઠન અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ તેમજ કેબિનેટ મંત્રી શ્રી પુર્ણૅશભાઈ મોદી તથા ગૃહરાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી, નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ અને ધારાસભ્યશ્રીનો સમગ્ર ચોર્યાસી કાંઠા વિસ્તાર અને ભીમરાડ ગ્રામજનો ગાંધી ભુમિ પરથી આજે આભાર સાથે હર્ષની લાગણી સાથે આનંદ વ્યક્ત કરી રહ્યા છે એવું ભીમરાડ ગાંધી સ્મારક સમિતિ પ્રમુખ શ્રી બળવંતભાઈ. એલ. પટેલ કરણ પટેલે જણાવ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે, આજે ભીમરાડ ગામ સાથે સમગ્ર ચોર્યાસી તાલુકો અને સુરત શહેરમાં ખુશીની લહેર દોડી રહી છે. પર્યટન સ્થળ બનતા રોજગારીની તકો પણ વધશે, આજે ભીમરાડના ભુતકાળને યાદ કરીને અમે અમૃત મહોત્સવ જ જાણે ઉજવી રહ્યા છીએ એટલો આનંદ થઈ રહ્યો છે. સમગ્ર કાંઠા વિસ્તાર ચોર્યાંસી તાલુકો, સુરત શહેરનાં ગ્રામજનો આજે અહી ઉત્સવમાં જોડાઇ ગયા છે. સુરતના આ ભિમરાડ ખાતે મહાત્મા ગાંધીજી 09 એપ્રિલ 1930 ના રોજ આવી પોહંચ્યા હતાં તે સમયે ભીમરાડના જ પરભુદાદા આહીરે પોતાના સ્વ હસ્તે બાપૂને 1 ગ્લાસ દુધ પિવડાવ્યું હતું. એ પરભુદાદા 105 વર્ષની ઉમરે દુનિયાને અલવિદા કહી ગયા પણ આજે જ્યાં હશે તેઓ ખુશીની લાગણી અનુભવતાં હશે,

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page