top of page

ભાટિયા ટોલ પ્લાઝામાં મેડિકલ કેમ્પનું ઉદ્ઘાટન કરતા એસ.પી.વી. હેડ અજય કુમાર સોની - કેમ્પનું ઉદ્ઘાટન કરતા કહ્યું " સ્વચ્છતા ત્યાં પ્રભુતા"

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Sep 28, 2024
  • 1 min read

પ્રજા પંખ સચિન ભાટિયા : કેમ્પનું ઉદ્ઘાટન કરતા અજય સોનીએ કહ્યું સ્વચ્છતા ત્યાં પ્રભુતા" એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જીવન મંત્ર હતો. ગાંધીજી વ્યકિતગત અને સામુહિક સ્વચ્છતા ના જીવન ભર આગ્રહી હતા. સાથે સાથે સંજય ચૌધરી અને ભાટિયા ટોલ પ્લાઝા મેનેજર અભિષેક પ્રસાદ સિંઘ એ પણ કહ્યું કે, નાગરિકોનું આરોગ્ય અને જીવન સારુ બને તથા શહેરો, નગરો અને ગામોમાં વસતા લોકોને સ્વચ્છ પર્યાવરણ મળી રહે તેવું મહાત્મા ગાંધીજીનું સ્વપ્ન હતું. આજે ૨૮ સપ્ટેમ્બર ના રોજ સુરત હજીરા એન.એચ ૦૬ ટોલ-વે પ્રા.લિ. ભાટીયા ટોલ પ્લાઝા ખાતે એસ.પી.વી. હેડ અજય કુમાર સોનીજી ના માર્ગદર્શન હેઠળ અને કોરીડોર અને સેફટી સિનીયર મેનેજર શ્રી સંજય ચૌધરીની આગેવાની હેઠળ ટોલ પ્લાઝા પરથી આવન જાવન કરતા પરિવહનના વાહન ચાલકો અને ભાટીયા ટોલના કર્મચારી કે જેઓ કોમ્પયુટર ઉપર કામ કરે છે તેઓ માટે તેમજ લોકોમાં જન જાગૃતી લાવવા "સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્લાઝા મેનેજર શ્રી અભીષેક પ્રસાદ સિંઘ, ડેપ્યુ.એન્જી. સંજય મોર્યા, એચ.એસ.સી. આસી. મેનેજર નવનિત સિંહ અને રંગ અવધૂત કોર્પોરેટ ની મેડીકલ ટીમના હેડ દિલીપસિંહ અને તેમના મેડીકલ સ્ટાફના ડૉકટરો દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ. આ સમય દરમ્યાન લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવ્યા. સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત લોકોને બેનર પોસ્ટર દ્વારા સ્વચ્છતા જાળવવા માહીતગાર કરવામાં આવ્યા હતા. આજ કાર્યક્રમ સાથે આંખ પરીક્ષણ અને મેડીકલ ચેક અપ કેમ્પનુ આયોજન કરવામાં આવેલ હતુ. અને આંખ તપાસના લાભાર્થીઓને ચશ્માનુ વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યુ હતું. વરસાદી માહોલ વચ્ચે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કોરીડોર અને સેફટી સીનીયર મેનેજર શ્રી સંજય ચૌધરી અને તેમની ટીમ નિલેશ રાઠોડ, કરણ જગતાપ, યોગેશ બૈસાને, હેમંત પટેલ, પંકજ ડામોર, જાડેજા તેમજ ટોલ પ્લાઝાના તમામ કર્મચારીઓ એ વિશેષ યોગદાન આપ્યો હતો.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page