ભાજપના વોર્ડ 30 કનસાડ - સચિન – ઉન – આભવાના નવા યુવા પ્રમુખ મહામંત્રીની નિમણુંક કરાઇ. . . .
- Praja Pankh
- Nov 30, 2021
- 2 min read

વોર્ડ-30નાં સ્થાનિક નગર સેવકો અને પદાધિકારીઓની પરામર્શ બાદ સુરત મહાનગર મહામંત્રી કિશોરભાઇ બિંદલની સહીથી આજે કેટલાય દિવસોથી ચાલતી અટકળોનો અંત આવ્યો. વધુ વયના લોકોનો યુવા સંગઠનમાં સમાવેશ નહિ, નવી નિમણુંકથી સાથી યુવાનોમાં આનંદની લાગણી પથરાઇ.
સચીન પ્રજા પંખ :- તા. 19-10-21 ના રોજ યુવા મોરચા, મહિલા મોરચા, બક્ષીપંચ મોરચા, કિસાન મોરચા, અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ અને લઘુમતી મોરચાની વોર્ડ-30 માટે કરેલ જાહેરાત નિમણુંક તા. 30-10-21 ના રોજ રદ કરાઇ હતી તે નિમણુંકો સામે થોડા ફેરફાર સાથે નવી નિમણુંકોની જાહેરાત આજે 30-11-21 ના રોજ કરવામા આવી છે. આ નિમણુકોથી લોકો ના કામો પણ હવે સહેલાઇ થી થશે તેવી પણ આશા જાગી છે. તમામની જેમ યુવા પ્રમુખ નિરવ દેસાઇ મહામંત્રી અમિત શર્મા, બક્ષીપંચના મુકેશ પટેલ, લઘુમતીના સાજીદ શેખ અને મહીલા મોર્ચાના દિપિકાબેન પટેલ હમેશાથી સક્રિય છે. લોકોનાં સંપર્કમાં રહેવાવાળાઓની જ ખાસ પસંદગી કરાઇ છે એવી પણ ચર્ચા છે. આ યુવાઓ અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. આ ટીમ સારુ એવું ગ્રુપ ધરાવે છે. ગત ગામ અને પાલિકામાં સારી એવી સેવા આપતાં હતાં અને આજે પણ આપે છે. સારા અનુભવી નિરવ, અમિત, મુકેશ સાજીદ અને દિપિકા જેવા યુવા અડધી રાત્રે લોકો ની પડખે ઉભા રહી લોકો ને મદદ રુપ બનશે એવી આશા છે. આ રીતે લોકો પર સારી પકડ પણ ધરાવે છે અને લોકો ને મદદ રુપ પણ થાય છે. ભાજપા વોર્ડ 30 ની નવી ટીમ આ પ્રમાણે છે. યુવા મોરચો પ્રમુખ નિરવ શરદભાઈ દેસાઈ, મહામંત્રી અમીત વિનોદભાઈ શર્મા, મહિલા મોરચો પ્રમુખ દિપીકાબેન નરેશભાઈ પટેલ, મહામંત્રી પ્રિતીબેન અશોકભાઈ પટેલ, બક્ષીપંચ મોરચો પ્રમુખ મુકેશભાઈ ભાણાભાઈ પટેલ, મહામંત્રી રામુભાઈ મોહનભાઈ પટેલ, અનુસૂચિત જાતિ મોરચો (એસ.સી.) પ્રમુખ ભાવેશભાઈ હરીશભાઈ ગોહીલ, મહામંત્રી ગણપતભાઈ માહ્યાવંશી, અનુસૂચિત જનજાતિ મોરચો (એસ.ટી.) પ્રમુખ રમેશ મોહનભાઈ રાઠોડ, મહામંત્રી ધર્મેશભાઈ ભાણાભાઈ રાઠોડ, કિસાન મોરચો પ્રમુખ મનીષભાઈ ડાહ્યાભાઈ પટેલ, મહામંત્રી ખંડુભાઈ નાનુભાઈ પટેલ તથા લઘુમતિ મોરચો પ્રમુખ સાજીદભાઈ અનવર શેખ અને મહામંત્રી સલીમભાઈ સદરુદ્દીનભાઇ બાગડીયાની નિમણુંક સુરત મહાનગર ભાજપા દ્વારા કરવામાં આવતાં સમગ્ર યુવાનોમાં આનંદની લાગણી પ્રસરી છે.
Comments