બીજેપી મેડિકલ સેલ દ્વારા યોજાયો "સ્વાસ્થ્ય સંગમ પ્રશીક્ષણ શિબિર"
- Praja Pankh
- Jan 3, 2022
- 1 min read

સચિન : તા.2/1/22 ના રોજ ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ, મેડિકલ સેલ દ્વારા "સ્વાસ્થ્ય સંગમ પ્રશીક્ષણ શિબિર"
કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી, કેન્દ્રીય આયુષ વિભાગના મંત્રીશ્રી ડો. મહેન્દ્ર મુંજપરાજી, રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી ડો. ઋષિકેશભાઈ પટેલજી, રાજ્યસરકારના મંત્રીશ્રી ડો. નિમિષાબેન સુથાર, ભાજપાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો. ભારતીબેન શિયાળ, ભાજપા ગુજરાતના મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલાજી, અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદશ્રી ડો. કિરીટભાઈ સોલંકી, ભાજપા ગુજરાતના યુવા મોરચાના પ્રમુખ ડો. પ્રશાંતભાઈ કોરાટ, ભાજપા ગુજરાત મેડિકલ સેલના કન્વીનરશ્રી ડો. ધર્મેન્દ્રભાઈ ગજ્જર, ડો. શિરીષભાઈ ભટ્ટ, ડો. અતુલભાઈ પંડ્યા, શ્રી દિલીપભાઈ દેશમુખજી, પ્રદેશ મેડિકલ સેલના પૂર્વ કન્વીનરશ્રી ડો. અનિલભાઈ પટેલ, ડો. વિષ્ણુભાઈ પટેલ, પ્રદેશ યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષશ્રી ડો. ઋત્વિજભાઈ પટેલ, સ્કૂલ બોર્ડના ચેરમેન ડો સુજય મહેતા , સત્રના નિષ્ણાત વક્તાશ્રીઓ, મેડિકલ સેલના પદાધિકારીશ્રીઓ, ડોક્ટર મિત્રો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો .......સુરત શહેરમાંથી 95 ડોક્ટર મિત્રો હાજર રહ્યા હતા.ડો.વિરેન્દ્રસિંહ મહીડા
કન્વીનર તથા ડો.ચેતનભાઈ પટેલ સહ કન્વીનર
તેમજ સુરત મહાનગર બીજેપી મેડીકલ સેલ ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી જેમાં
મુખ્યમંત્રીશ્રી, અને આરોગ્યમંત્રીશ્રી એ કોરોનાની ત્રીજી લહેર સામે યોગ્ય પગલાં અને સામાન્યજનો ને તકેદારી રાખવાની ચર્ચા કરી હતી.
Commentaires