પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સુરત શહેર સચીન પોલીસ...
- Praja Pankh
- Jan 24, 2023
- 1 min read

પ્રજાપંખ સચિન : મે,પોલીસ કમિશ્નર સાહેબશ્રી તથા અધિક પોલીસ કમિશ્રર સેકટર-૦૨ સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૦૬ સાહેબ શ્રી તથા મદદનીશ પોલીસ કમિશ્નર "આઈ" ડીવિઝન સાહેબ શ્રી નાઓએ ગુન્હાના નાસતાં ફરતાં આરોપીઓને પકડવા માટે આપેલ સુચના અને માર્ગદર્શન અનુસંધાને પો.ઇન્સ આર.આર.દેસાઇ નાઓની સુચના આધારે સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઇ એચ.જે.મચ્છર ના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઈ, કિશોર માધવરાવ તથા અ.હે.કો. સહદેવસિંહ ગજેન્દ્રસિંહ નાઓની સંયુક્ત બાતમીનાં આધારે, સચીન પો.સ્ટે.સી. પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૦૦૫૪૨૨૧૬૪૬/૨૦૨૨ ધી ગુજરાત નશાબંધી અધિનીયમ ૧૯૪૯ તથા ગુજરાત નશાબંધી સુધારા અધિનીયમ ૨૦૧૭ ની કલમ-૬૫(ઇ)(એ),૮૩,૮૧ મુજબના ગુન્હામા નાસતાં ફરતાં આરોપી નામે પ્રફુલ મહેશભાઈ રાઠોડ રહેવાસી. નરોદગામ, તા.
જલાલપોર, જિ. નવસારી નાઓને મળેલ બાતમીના આધારે વોન્ટેડ આરોપી આજે સચીન લાજપોર ગામથી આગળ જાહેર રોડ પર આવનાર છે જાણી વોચ ગોઠવી જાહેર રોડ ઉપરથી ઝડપી પાડી ઉપરોક્ત ગુન્હાના કામે સચીન પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ગત વર્ષથી ભાગતા ફરતા આરોપીને ઝડપવા ની કામગીરીમાં સામેલ પોલીસ અધિકારી/કર્મચારી જેમાં
(૧) પો.ઇન્સશ્રી આર.આર.દેસાઇ (૨) પો.સ.ઈ શ્રી એચ,જે મચ્છર
(૩) એ.એસ.આઈ.પિતામ્બર વ્યંકટ
(૪) અ.હે.કો.ગજેન્દ્રદાન ગંભીરદાન (૫) અ.પો.કો. વિજયસિંહ ભગવાનભાઇ (૬) અ.પો.કો મુકેશકુમાર શિવાજી (૭) અ.પો.કો કલ્પેશ બાપુરાવ (૮) અ.પો.કો. જયસુખભાઈ કેશુભાઈ (૯) અ.પો.કો દશરથભાઈ માવજીભાઈ (૧૦) અ.પો.કો રામશીભાઈ જગમાલભાઈ અને અને (૧૧) અ.પો.કો કિશનકુમાર જયદેવભાઈ હતાં...
Comments