top of page

પશ્ચિમ રેલવે પાસે ઉભરતા સચિન રેલ્વે સ્ટેશનને વધુ સુવિધાઓ મળે તેની માંગ કરાઇ

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Dec 15, 2021
  • 3 min read

જનરલ મેનેજર પશ્ચિમ રેલવેને પણ નવા સ્ટોપેજ અને ભૌતિક સુવિધા માટેના પ્રશ્નો ની રજૂઆત કરાઇ.


સચિન પ્રજા પંખ દ્વારા : જનરલ મેનેજર વેસ્ટર્ન રેલ્વે શ્રી આલોક કંસલ જી ને ઉદેશીને પત્ર લખી સચીન કમિટિ દ્વારા સચિન રેલવે સ્ટેશનની ભૌતિક સુવિધા અને નવા સ્ટોપેજ અને અન્ય જરુરિયાત વિષે જાણ કરાઇ છે. જેની એક નકલ સ્થાનિક સચીન રેલ્વે સ્ટેશન ઇંદ્ર્જીત મિના સાહેબને હાથોહાથ આપી આગળની કાર્યવાહી માટે આપવામાં આવી. - સચિન ઔદ્યોગિક વિસ્તાર હોવાને કારણે, સમગ્ર ભારતમાંથી 5 લાખથી વધુ લોકો સહ-કુટુંબ રોજગાર માટે અહીં વસે છે. સચિનથી 5 કિમી દૂર ખજોદ ગામમાં ઇન્ટર નેશનલ ડાયમંડ હબમાં લાખ થી વધુ લોકોને રોજગારી મળશે અને દેશ-વિદેશના વેપારી લોકો પણ અહીં આવશે. જેથી સચિન રેલવે સ્ટેશન પર મોટી ભૌતીક સુવિધા અને સ્ટોપેજ આપવું ફરજિયાત છે. - ગયા વર્ષ સચિન સ્ટેશનની ભૌતિક સુવિધાઓ માટે સમિતિની માંગ મુજબ રેલવે બોર્ડે કરોડો રૂપિયા ફાળવ્યા છે અને કામ શરૂ થયું પણ કોઇ કારણસર બંધ થતાં એ પ્લેટફોર્મ નંબર 1 પર નું કામ ફરી શરૂ કરવું. અહી આખા દિવસમાં 05 ટ્રેનો મળી છે જ્યારે અપ-ડાઉન કરનારાઓની સંખ્યા લાખોથી વધુ છે. ટ્રેનની સુવિધાના અભાવે સ્ટેટ હાઈવે રોડ સવાર-સાંજ જામ થઈ જતો હોય છે. ઘણા બધા અકસ્માતો થઈ રહ્યા છે, વધુ ઉધોગો અહી હોવાથી તમામ એકમોમાં 3 લાખથી વધુ કારીગર વર્ગ કામ કરે છે. સચીનમાં ફાસ્ટ ટ્રેનના સ્ટોપેજના અભાવે વિદેશના મોટા ઉદ્યોગકારો એકમોની મુલાકાતે સીધા સુરત અથવા નવસારી સ્ટેશનેથી 25 કિમી દૂર સચિન આવે છે. આ સચિનની 5 લાખથી વધુ વસ્તી છે. અપ-ડાઉન કરતા લોકો માટે વલસાડ થી સુરત માટે 08-00ના રોજ સવારે 07-30 કલાકે વધુ એક ટ્રેન જરૂરી છે. જેથી કારીગરો અને શ્રમજીવી વર્ગ અને મુસાફરો માટે સરળતા રહેશે, સચિન સ્ટેશને નીચે જતી ટ્રેનોના અપ-ડાઉન સ્ટોપેજ જરૂરી છે. જેમાં 01 - 9216-9215 સૌરાષ્ટ્ર એક્સપ્રેસ થી સચિન રેલ્વે સ્ટેશન, --02 -19023-19024 જનતા એક્સપ્રેસ 03 - 2936-2935 સુરત મુંબઈ ઇન્ટરસિટી-04-અપ-ડાઉન લોકો માટે, વલસાડથી સુરત માટે સવારે 07-30 વાગ્યે સચિન સુધી, 08-00 વાગ્યે એક ટ્રેન આવશ્યક છે. 05 - 9013 -14 ખાનદેશ એક્સપ્રેસનું સ્ટોપેજની માંગ મુકી છે. - 05 લાખથી વધુ વસ્તીની સામે માત્ર એક જ વર્તમાન અને આરક્ષણ ટીકીટ બારી છે. જ્યાં સવાર-સાંજ ભારે ભીડ રહે છે. જેમાં વધુ 1 વિન્ડો ત્વરિત મંજૂરી આપી (01) 01 UTS અને (02) 01 PRS આમ અલગ-અલગ કોમ્યુટર ટ્રેનિંગ સ્ટાફ સાથે બે વિન્ડો આપવામાં આવે.- પ્લેટફોર્મ નંબર 1 પર ફક્ત 6 ડી કોચ જ ઊભા રહી શકે છે, બાકીના કોચ પ્લેટફોર્મની બહાર ઊભા રહે છે. તેથી નંબર 01 ની લંબાઈ વધારવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. પાછળના મુસાફરો યોગ્ય રીતે નીચે ઉતરી શકતા નથી, ક્યારેક નીચે પડી જાય છે, પછી ઈજા થાય છે, આ કામ દોઢ વર્ષથી અટવાયેલું છે. જે જલ્દી શરૂ થવું જોઈએ. - પશ્ચિમ રેલવે દ્વારા વર્ષો પહેલા પ્લેટફોર્મ નંબર 1 ઓફિસની પાછળની કોમન લાઇન લંબાવવા માટે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો, જે પણ કરવા જણાવ્યું છે આ કરવાથી સચીનને નવું 01 નંબર પ્લેટ ફોર્મ મળશે. - સ્ટેશન માસ્ટર ઑફિસ અને બુકિંગ વિન્ડો પ્લેટફોર્મની વચ્ચે છે, નવી માસ્ટર ઑફિસ સાથેની બે ત્રણ માળની ઇમારત, લોજ સાથેનું આરામગૃહ, અને કનકપુર પૂર્વ અથવા કનસાડ પશ્ચિમ તરફની રેલ્વે સાઇટ પર 04 વિન્ડો ઑફિસનું પુનઃ આયોજન કરવામાં જણાવેલ છે. - અહીં આરપીએફની કોઈ ચેકપોઇન્ટ નથી, વહેલી સવારે અને રાત્રીની ફાસ્ટ ટ્રેન વલસાડ - ગુજરાત ક્વીન અમદાવાદ આવતી અને સુરતથી મુંબઈ આવતી ફ્લાઈંગ રાણીમાં મુસાફરોના ધસારામાં બેગ અને પર્સની તસ્કરો ચોરી કરે છે. તેથી પોલીસ ચોકીની ખૂબ જ જરૂર છે, એક પોલીસને બદલે બે પોલીસકર્મીઓની ફરજ હંમેશા હોવી જોઈએ જેથી ગેરકાનુની કામો થતાં અટકે, 23 સીસીટીવી મંજૂર કરવામાં આવ્યા છે જે તાત્કાલિક લગાવો. કરસન દાદા હનુમાન મંદિર (પશ્ચિમ) પાસે 422 નંબરની ખાડી આવી છે. ભૂગર્ભ ટનલ રોડ બનાવાય, જેથી સચિન સ્ટેશનનો રસ્તો ટૂંકો થઈ જશે. કોરિડોર સાથે એક રસ્તો 168 ટનલ લાજ્પોર ફાટક થી આશિષ હોટલ, સાતવલ્લાપુલ સુધી જરુરી છે. - સચિન સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 01 અને 02ની ઉત્તર-દક્ષિણ વચ્ચે નવા પાણી પરબ અને સુલભ શૌચાલય જોઈએ. - સચિન રેલ્વે સ્ટેશન પર ઉત્તર અને દક્ષિણ વચ્ચે એક એટીએમ મુકાવુ જોઇએ.- સચિને રેલ્વે સ્ટેશનની બહાર પૂર્વ અને પશ્ચિમ બાજુએ એક એક મોબાઈલ ટિકિટ વિન્ડોને મંજૂરી આપી વરિષ્ઠ નાગરિકને તે ચલાવવા આપવું અને ખાસ પુર્વ સચીન બજારથી મુસાફરોને સચીન સ્ટેશન પર આવવા માટે હાલ કોઇ રસ્તો નથી, કોરિડોર કૂદિને આવતા જાનહાની પણ થાય છે. જેથી બ્રીજનું કામ ફાસ્ટ કરવામાં આવે અને સચીન સ્ટેશનને ચારે બાજુ સ્વરક્ષણ દિવાલ બનાવી જરુરી છે. આવી અનેક માંગણીઓ સચિન રેલવે કોન્સ્યુલર કમિટી દ્વારા કરવામાં આવી છે કમિટિના સદસ્યો છે અજીતસિંહ રાજપૂત, પ્રકાશ સી. ભાવસાર, ચિરાગસિંહ સોલંકી, કેયુરભાઈ પટેલ, સંજયભાઈ સુંદરિયા, મુકેશભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, મહિપાલસિંહ વાંસીયા, તેજસભાઈ આહીર, અને રાજુભાઈ પટેલ છે.

 
 
 

Commentaires


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page