top of page

પલસાણાના ચલથાણ ખાતે સંજીવની હોસ્પિટલમાં આરોગ્ય સુવિધા માટે રૂ. રૂ.૨૮.૭૭ લાખનું અનુદાન....

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • May 31, 2021
  • 1 min read

પલસાણાના ચલથાણ ખાતે સંજીવની હોસ્પિટલમાં આરોગ્ય સુવિધા માટે રૂ. રૂ.૨૮.૭૭ લાખનું અનુદાન અર્પણ કરતાં મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર

સુરત:સોમવાર: વૈશ્વિક કોરોના મહામારીના બીજા ફેઝમાં શહેરી વિસ્તારોની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝડપભેર સંક્રમણ વધી રહ્યું છે. જેથી કોવિડ સામે લડવા ઉપયુક્ત સુવિધાઓ ઉભી કરવા જાગૃત્ત જનપ્રતિનિધિઓ સતત પ્રયત્નશીલ છે, ત્યારે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે પોતાની ધારાસભ્યની ગ્રાંટમાંથી પલસાણા તાલુકાના ચલથાણ ખાતે સંજીવની આરોગ્ય ટ્રસ્ટ સંચાલિત સંજીવની હોસ્પિટલ આરોગ્ય સુવિધા વધુ બહેતર બને, કોરોના તેમજ અન્ય રોગના દર્દીઓને વધુ સારી આરોગ્ય સેવા મળે એ માટે રૂ.૨૮,૭૭,૬૪૫ નું અનુદાન આપ્યું છે. આ અનુદાનનો ઉપયોગ ડિજિટલ એક્ષ-રે મશીન, પોર્ટેબલ વેન્ટિલેટર, ડિફિબીલેટેર મશીન, લેરીગો સ્કોપ સેટ, ડિસ્પોઝલ બ્લેડસની સુવિધા ઊભી કરાશે. મંત્રીશ્રીએ આ માટેના અનુદાનનો પત્ર હોસ્પિટલના ટ્રસ્ટીઓને અર્પણ કર્યો હતો.


 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page