નિ:શ્વાર્થ માનવ સેવા અને સમસ્ત જૈન સમાજ દ્વારા સચિનમા યોજાયો રક્તદાન કેમ્પ
- Praja Pankh
- Oct 10, 2021
- 2 min read
લોહીની જરૂરિયાત વિવિધ પ્રકારની સારવાર તથા આપાતકાલીન સમયે ખાસ પડે છે. રક્તદાન એ જીવલેણ બીમારીથી પીડાતા દર્દીઓને લાબું જીવાડવામાં મદદ કરે છે અને જટિલ મેડિકલ તથા સર્જીકલ પ્રોસિજરમાં પણ ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત લોહીની જરૂર કેટલાય પ્રકારની ઇમર્જન્સી પરિસ્થિતિ જેવી કે કુદરતી આફતો, અકસ્માત, યુદ્ધ વખતે થતી ઇજાઓમાં પણ ખુબ જ પડે છે. આજ દિન સુધી અમે 150 જેટલા કેમ્પો યોજ્યા છે અને 12000 થી વધુ યુનિટ રક્ત લોકોની સેવામા અર્પણ કર્યું છે : પ્રમુખ નિ:શ્વાર્થ માનવ સેવા સમિતિ સચિન બાબુભાઇ પટેલ (મેલેરિયા) અને સિનિયર સિટિઝન વેલ્ફેર ટ્રસ્ટ પ્રમુખ બહાદુરસિંહ સોલંકી
કોઈપણ ગામથી લઈને દેશમાં આરોગ્ય સેવાઓને અસરકારક બનાવવા માટે દર્દીઓને લોહી તથા લોહીની અન્ય પ્રોડકટ્સ મળી રહે તે અગત્યનું છે. જેથી અમે આવા કેમ્પો કરતા રહીએ છીએ, કોરોનાકાળ બાદ હવે સલામત અને પૂરતા પ્રમાણમાં લોહી મળી રહે તે માટે દેશવ્યાપી રક્તદાન માટેના હજી વધુ કેન્દ્રો જરૂરી છે કે જ્યાં રક્તદાતાઓ સ્વેચ્છાએ રક્તદાન કરી શકે. : વિશ્રાંતી સિ.સિ. કલબ પ્રમુખ એ. રઝાક સૈયદ લાજપુરી અને સિનિયર સિટિઝન વેલ્ફેર ટ્રસ્ટ સહમંત્રી મગનભાઇ ડેંસાવાળા

સચિન પ્રજાપંખ દ્વારા : પ્રવર્તમાન કોરોના મહામારીના સમયમાં રક્તદાનની સંખ્યા ઘટી ગઇ હોય બ્લડ બેંકોમાં લોહી ની ઉણપ સર્જાવાની પરિસ્થિતિ નિર્માણ થઈ છે. આવા સંકટ સમયમાં નિ:શ્વાર્થ માનવ સેવા સમિતિ સચિન અને સચિનના સમસ્ત જૈન સમાજ દ્વારા પ્રમુખ નિ:શ્વાર્થ માનવ સેવા સમિતિ સચિન અને સમાજસેવી એવા બાબુભાઇ મેલેરીયા ના ધર્મ પત્નીના 76 મા જન્મ દિવસ નિમિત્તે એક મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સચિન સ્થિત તમામ ફિરકાના જૈન સમાજના ભાઈઓ બહેનો તથા અન્ય સમાજના અંદાજીત 120 રક્તદાતાઓએ તપાસણી કરાવી અને આખરે 69 યુનિટ લોહી એકત્ર થયું હતું. ખાસ કરીને રસી લેતા પહેલા 18 વર્ષથી ઉપરના યુવક યુવતીઓનો અને જૈન બહેનોનો રક્તદાન માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, સહુ રક્તદાતાઓને પુષ્પગુચ્છ થી આવકારી પ્રમાણપત્ર અને એક બેગ ભેટ રુપી આપી હતી. આ કેમ્પ રંગઅવધુત સોસાયટી ખાતે અયોજીત થયો હતો. સમગ્ર કેમ્પ દરમ્યાન સોશ્યિલ ડિસ્ટન્સીન્ગ સહિત સરકારી ગાઈડલાઈનનું પૂર્ણ પણે પાલન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું આયોજન નિ:શ્વાર્થ માનવ સેવા સમિતિ અને સમસ્ત જૈન સમાજ દ્વારા કરવામાં આવ્યું અને સુરત રક્તદાન કેંદ્ર સંપૂર્ણ સહયોગ રહ્યો હતો. હાલના સમયમાં ખૂબ જ જરૂરી એવી રક્તદાનની આજની પ્રવૃત્તિમાં સહભાગી બનેલા અગ્રણીઓમાં અને આશિર્વાદ આપવા પધારેલ ડો.રણજીતસિંહ વાંસિયા, સુરેશ પીછોલિયા, પવન ગાંધી, પિન્ટૂ મુણોત, તેરાપંથ મહિલા પ્રમુખ રીંકુ મુણોત, તથા દિલિપ ચોપડા, મહેંદ્રભાઇ કોઠારી, પ્રકાશ ભાવસાર અને ભામાષા કહેવાતા સતીષ શાહ તેમજ ગીરીષભાઇ આહીર, પલસાણાથી પધારેલ બલ્બીરભાઇ અને તુષારભાઇએ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યુ છે.
Commentaires