નામદેવ છીપા સમાજ (દ. ગુજરાત) દ્વારા વસંત પંચમી મહોત્સવની ઉજવણી
- Praja Pankh
- Feb 16, 2021
- 1 min read

સચિન: મંગળવાર: શ્રી નામદેવ છીપા સમાજ (દ.ગુજરાત) દ્વારા તા.૧૬ માર્ચના રોજ સમાજબંધુઓની ઉપસ્થિતિમાં વસંતપંચમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. વર્તમાન કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સત્તાવાર કોવિડ માર્ગદર્શિકાને સંપૂર્ણ રીતે અનુસરીને કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
સુરતમાં જ છીપા સમાજબંધુઓએ વસંતપંચમીની સાદાઈથી ઉજવણીના કરાયેલા નિર્ણય અનુસાર ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં કાર્યક્રમ સંપન્ન થયો હતો. કાર્યક્રમમાં સમાજના ગણમાન્ય અતિથિઓ ઈન્દ્રમલ સોલંકી, રામનારાયણ ભાટી, મનોજ ગેહલોત, સુરેશ પરમાર, છગન ભાટી, દિનેશ ભાટી, ગિરીશ નાનીવાલ, લોકેશ હિરાલાલ, ફૂટરમલ, વિષ્ણુભાઇ, પ્રવિણભાઇ, દિલીપ, નરેશ, ભાવેશ, મોહન, મનોજ રાઠોડ, અશોક, રમેશ, કમલેશ, લલિત, જગદીશ, દલપત, હરીશ, કૈલાસ, મુકેશ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
Comentarios