top of page

નવરાત્રીના દુર્ગા પૂજા માટે ઓરિસ્સા સમાજે દુર્ગા માતાને નિમંત્રણ મોકલ્યું.....

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Sep 7, 2022
  • 1 min read



પ્રજાપંખ સચિન : કનકપુર ખાતે છેલા ૨૬ વર્ષથી સતત માતા દુર્ગાની સ્થાપના કરી વૈદિક પૂજા પાઠ કરવામાં આવે છે જે માટે 21 દિવસ પહેલા માતાને નિમંત્રણ આપવામ આવે છે જેની ધાર્મિક વિધિ કરીને એક ઊંચી ધજા ઊભી કરવામાં આવી છે અને આ સમયે પણ મહારાજ દ્રારા સંપૂર્ણ પૂજા વિધિ કરીને પ્રસાદી કરીને માતાજીને નવરત્રિમાં પધારવા ભાવિક ભક્તોને આશિષ આપવા આહ્વાન અપાયું છે જે આજે કનકપુર પાલિકાની સામે આવેલ નેતાજી શોપિંગ સેંટરમાં સહુ ઓરિસ્સા સમાજ અને અગ્રણીઓ ઉપસ્થિત થયા હતા અને પૂજાવિધિ કરીને મંત્રોચ્ચાર કરીને આ જગાને પવિત્ર કરીને એક ઉંચી ધજા ઊભી કરવામાં આવી હતી, આ ધજા જોઈને બીજા ભાવિકભકતોને , લોકોને ધ્યાન રહે છે કે અહીની આ પવિત્ર જગા પર નવરાત્રિ માટે ભાવિક ભક્તો કાજે દુર્ગા માતાજીની સ્થાપના થશે એવું ઓરિસ્સાના અગ્રણી અને માજી નગર સેવક તથા દુર્ગા પૂજા પ્રેસીડેંટ વિજય પટનાયકે જણાવ્યુ હતું. આજે અહી ઓરિસ્સા સમાજના મંદિરના પ્રમુખ કેશવ ગૌડા તથા અનેક અગ્રણી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા જેમાં ખાસ ટીલું પંડા, વિજય પટનાયક, નરસિંહ બેહરા, તેમજ

કોંગ્રેસ આગેવાનો તથા ભાજપ વોર્ડ ૩૦ નાં પ્રમુખ દીપક ચૌધરી અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉત્સવપ્રિય સુરતમાં પણ મા દુર્ગાની વિશેષ પૂજા થાય છે. બંગાળ સહિત ઓરિસ્સામાં દુર્ગા પૂજાની પુરજોશમાં તૈયારીઓ ચાલુ થઈ છે પરંતુ સહુથી વિશેષ કનકપુરની દુર્ગા પૂજા વખણાય છે અને કોરોના કાળ દરમિયાન જે મહા પ્રસાદી રાખવાની હતી તે આ વર્ષે ૨૦ હજાર ભાવિક ભક્તો માટે મહા પ્રસાદીનું આયોજન કરાયું છે. એવું ટીલું પંડાએ જણાવ્યુ છે.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page