top of page

ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલ સચિન મા ઘટના સ્થળે....

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Jun 29, 2022
  • 2 min read

સચિનમા માનવ કંકાલ મળી આવ્યાના સમાચાર જોઇ વાંચી, ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલ ઘટના સ્થળે મુલાકાતે આવ્યા.


સચિન પ્રજા પંખ : સચીન ખાતેના પાછળના વિસ્તારમાંથી માનવ કંકાલ મળી આવતા સમગ્ર સચિનમા ચકચાર વ્યાપી ગયો હતો અને એ ન્યુઝ ને બ્રેકિંગ તરીકે અખબારો અને ન્યુઝ ચેનલોએ એ પ્રસારીત કરતાં આજે ખુદ ચોર્યાંસી ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં અને સમગ્ર જાત તપાસ કરી સંબધિત અધિકારીઓને જે તે સુચનાઓ આપી હતી. આ તબક્કે સચિન જર્નાલિસ્ટ ફેડરેશનના સહુ પત્રકારોના કંકાલ બાબતેના સવાલના પ્રત્યુત્તરમાં ઘટના સ્થળ પર એમણે જણાવ્યું કે, આ ટાંકી નગર પાલિકા સમયે લોકોના ઉપયોગ માટે જ બનાવવામા આવી હતી અહિંથી પીવાનું પાણી આપવાની યોજના હતી અને જ્યારે ટાન્કી બની ગઈ ત્યારે એસ એમ સી આવી ગઈ, એટલે આનો ઉપયોગ થયો નહી અને ફરી સ્થાનિકો માટે પિવાના પાણીની રજુઆત કરવા ગયા ત્યારે આ ટાંકી લાખોના ખર્ચે બનીને એમ જ અઢી વર્ષથી પડી રહી છે એટલે હવે પાણી આવે એટલે આ ટાંકી મા પાણી ભરીશું એવું નક્કી થયું અને આ ટાંકિને સાફસફાઇ માટે અધિકારીઓને જાણ કરી હતી, પરંતું મળતી માહિતી અનુસાર સચિનમાં આવેલ આ બિન વપરાશી ટાંકી માંથી સાફ સફાઈ દરમિયાન જ એક માનવ કંકાલ અને છૂટા છવાઈ અસ્થિઓ મળી આવી. આ માનવ અસ્થિઓમાં ખોપડી તથા છુટા છવાયા અસ્થી છે. પરંતુ હજી આ કંકાલ કોણ નાખી ગયું ક્યાંથી આવ્યું કે કોઇએ સ્યુસાઇડ કર્યું એની ખબર પડી નથી, કેમ કે, બે ફૂટ્ના પાણીમા કોઇ સ્યુસાઇડ ના કરે અને પોલિસ સ્ટેશન મા પણ કોઇ ગુમ થયાની ફરીયાદ નથી. પોલિસ તપાસ કરી રહી છે. હવે આ માનવ કંકાલ મળી આવ્યુ છે તેથી આ ટાંકિની પુર્ણ રીતે સાફ્સફાઇ કરાવીને એને ફરી રિપેરિંગ કરાવીને જ પાણી આવશે ત્યારે આમા સ્ટોર કરીને સમગ્ર સચિનની પિવાનુ પાણી આપીશું. આ તબક્કે સચિનના પ્રતિનિધિ તરીકે એક માત્ર માજી નગર સેવક અને સંગઠન પ્રમુખ ગિરિશભાઇ પટેલ જ ચોર્યાસી ધારાસભ્યશ્રી ઝંખનાબેન પટેલ સાથે નજરે પડ્યા હતાં અને સમગ્ર સમયે ઉપસ્થિત રહી દરેક પ્રકારની બહેંશ્રીને જોઇતી માહીતી આપ –લે કરતાં દેખાતા હતાં.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page