top of page

તા.૨૬-૦૬-૨૦૨૨ ના રવિવારે સમગ્ર ગુજરાતમાં નેશનલ લોક અદાલત યોજાશે.

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • May 31, 2022
  • 1 min read

સુરત જિલ્લા અને શહેરના નગરજનો આ લોક અદાલતનો મહત્તમ લાભ લઈ શકે છે.

Demo

પ્રજાપંખ સચિન : જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ, સુરતનાં અધ્યક્ષશ્રી વિમલ કે વ્યાસજી ના જણાવ્યા મુજબ નામદાર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ, ના આદેશ મુજબ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના માર્ગદર્શન હેઠળ, આગામી તા.૨૬-૦૬-૨૦૨૨ ના રવિવારના રોજ સમગ્ર રાજ્યમાં નેશનલ લોક અદાલત યોજાનાર છે. આ લોક અદાલતમાં ‘ક્રિમીનલ કમ્પાઉન્ડબેલ કેસો, નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ ની કલમ ૧૩૮ અન્વયે ના કેસો, બેંકના નાણા વસુલાતના કેસો, મોટર અકસ્માતના કેસો. લેબર ડીસ્પ્યુટના કેસો, વોટર અને ઇલેકટ્રીસીટી બીલ ના કેસો (બિન સમાધાન પાત્ર સિવાયના) ક્રિમીનલ કંમ્પાઉન્ડેબલ કેસો, લગ્ન વિષયક તકરારના કેસો, લેન્ડ એક્વીઝીશન એકટ અન્વએના કેસો, સર્વિસ મેટર (પગાર, ભથ્થા અને નિવૃતિ લાભો સબંધિત), રેવન્યુ કેસો, અન્ય સિવીલ કેસો રેન્ટ, ઈઝમેન્ટરી રાઈટસ, મનાઈ હુકમના દાવા સ્પે. પ્રર્ફોમન્સના દાવા. વિગેરે’ પ્રકારના કેસો મુકવામાં આવનાર છે. જેથી સુરત જિલ્લા અને શહેરના નગરજનો આ લોક અદાલતનો મહત્તમ લાભ લે અને તેઓના કેસ લોક અદાલતમાં મુકાવી તકરારનો અંત લાવે, તેવા હેતુસર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (નાલ્સા) તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદનાઓએ આપેલ દિશાનિર્દેશો મુજબ તા.૨૬-૦૬-૨૦૨૨ ના રવિવારે સમગ્ર રાજ્યમાં નેશનલ લોક અદાલત યોજાશે જેનો સંબધિત લોકો મહત્તમ લાભ લે એવું જણાવ્યું છે.


 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page