top of page

તા.૨જી ઓગષ્ટ સંવેદના દિવસઃજાહેર જનતાને લાભ લેવા અનુરોધ

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Jul 31, 2021
  • 2 min read

સુરત જિલ્લાના નવ તાલુકાઓમાં તથા ચાર નગરપાલિકાઓમાં

સેવા સેતુ કાર્યક્રમો યોજાશે...

પ્રજાપંખ સુરતઃશનિવારઃ- સૂરતઃ શુક્રવારઃ- મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે તા.૨જી ઓગષ્ટને સંવેદના દિવસ તરીકે સુરત જિલ્લામાં ઉજવણી કરાશે. જેમાં હજારો લોકોને સેવા સેતુના માધ્યમથી જનહિતકારી યોજનાઓના લાભો એનાયત કરાશે.

જિલ્લાના તાલુકાકક્ષાના મુખ્ય ગામોમાં યોજાનાર સેવા સેતુમાં ચોર્યાસી તાલુકાના કવાસ ગામે કોમ્યુનીટી હોલ ખાતે ધારાસભ્યશ્રીમતી ઝંખનાબેન પટેલ, ઓલપાડના પિજરત ગામે ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલ, કામરેજ તાલુકાની વાવ પ્રાથમિક શાળા ખાતે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અજીતભાઈ આહિર, પલસાણા પ્રાથમિક શાળા ખાતે તાલુકા પંચાયતના પ્રમુખશ્રીમતિ વૈશાલીબેન પટેલ, બારડોલી તાલુકાના આફવા કોમ્યુનિટી હોલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભાવેશભાઈ પટેલ, મહુવા ઓડચ ગ્રામ પંચાયત ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયા, માંડવીના ગોદાવાડી ગામે તાલુકા પંચાયત પ્રમુખશ્રીમતિ હિનાબેન વસાવા, માંગરોળ તાલુકાના વાંકલ પ્રાથમિક શાળા ખાતે તાલુકા પંચાયત પ્રમુખશ્રીમતિ ચંદનબેન ગામીત, ઉમરપાડાના કેવડી પ્રા.શાળા ખાતે તાલુકા પંચાયત પ્રમુખશ્રીમતી શારદાબેન ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા સેતુના કાર્યક્રમો યોજાશે.

જિલ્લાની ચાર નગરપાલિકા પૈંકી કડોદરા નગરપાલિકાની કચેરી ખાતે પાલિકા પ્રમુખશ્રી કલ્પેશકુમાર ટેલર, બારડોલી નગરપાલિકાએ સીનીયર સીટીઝન હોલ ખાતે પાલિકા પ્રમુખશ્રીમતી ફાલ્ગુનીબેન દેસાઈ, તરસાડી નગરપાલિકા ખાતે સરદારસિંહ રાણા કોમ્યુનીટી હોલ, પંડવાઈ સુગર રોડ પ્રમુખશ્રીમતી મીનાક્ષીબેન શાહ, માંડવી નગરપાલિકા ખાતે માંડવી હાઇસ્કુલ હીરાચંદ ભવન ખાતે પ્રમુખશ્રી રેખાબેન વશી સેવા સેવા સેતુના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.

રાજય સરકાર દ્વારા ૫૭ જેટલી વિવિધ યોજનાઓ જેમાં વિધવા સહાય, આધારકાર્ડ, રાશનકાર્ડ, જાતિ પ્રમાણપત્રો, રાશનકાર્ડના સુધારા, આધાર કાર્ડનું બેન્ક એકાઉન્ટ સાથે જોડાણ, જાતિ પ્રમાણપત્રો, નોન ક્રિમીલિયર પ્રમાણપત્ર, આવકનો દાખલો, કુંવરબાઈનું મામેરૂ જેવી અનેક યોજનાઓના લાભોની અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવશે. આ કાર્યક્રમો સવારે ૯.૦૦ થી સાંજના ૫.૦૦ કલાક સુધી યોજાશે. જેમાં સવારે ૯ થી ૧૧ દરમિયાન અરજદારો પાસેથી રજૂઆતો અને પુરાવાઓ મેળવાશે. ૧૧.૦૦ થી ૨.૦૦ દરમ્યાન સ્થળ પર કાગળોની ચકાસણી/તપાસ કરાશે અને ૩.૦૦ થી ૫.૦૦ દરમિયાન અરજદારોને તેમણે કરેલ રજૂઆતોની આખરી નિકાલની જાણ કરાશે. જેનો બહોળો લાભ લેવાનો નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page