ત્રણે પક્ષોનો વોર્ડ-30 માં પુરજોશમાં ચૂંટણી પ્રચાર-પ્રસારનો ગરમાટો
- Praja Pankh
- Feb 16, 2021
- 2 min read
પ્રજાપંખ સચિન: સુરત મનપાની સ્વરાજની ચૂંટણી માટે સ્થાનિક રાજકારણ ગરમાવા લાગ્યું કેમ કે આ વખતે અહી આપ પક્ષના ના 3, કોંગ્રેસના 4 અને ભાજપાના 4 ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જેમાં કોઈ પણ પીઢ ઉમેદવાર નથી, છતાં કન્વીનરોના આદેશથી મતદારોના આકર્ષણ માટે પ્રચાર – પ્રચારનો પ્રારંભ ભગવાનના દર્શનથી શરૂ કરી દીધો છે. ભાજપ અને કોંગ્રેસે તો રીક્ષાનો ઉપયોગ પણ લીધો છે.ગલી ગલી ડોર ટુ ડોર પણ જઇ રહ્યા છે જ્યારે આપ પક્ષના ઉમેદવારો એકલા એકલા પણ પદયાત્રા દ્વારા ઘેર ઘેર પ્રચાર આદરી રહી છે. બીજી બાજુ ચૂંટણી પ્રચાર-પ્રસાર માટેની સાધન-સામગ્રીની તૈયારીઓ પણ દરેક પક્ષે પુરજોશમાં કરી છે. ભાજપ કમળના ચિહન સાથેના ભગવા માસ્ક બનાવીને મતદારોને આપી રહી છે. આ ચૂંટણીમાં ભાજપે પોતાનું સૂત્ર બદલીને 'ભાજપ માટે ગુજરાત છે મક્કમ, ભાજપ સાથે અડીખમ' ના સૂત્રના ટીશર્ટ સાથે ચૂંટણીપ્રચાર કરવાનું મુનાસિબ સમજયું છે. જ્યારે કોંગ્રેસે પણ કોરોના મહામારી વચ્ચે મતદારોને આકર્ષવા માટે સેનિટાઇઝર અને માસ્કનો સહારો લીધો છે અને આપના પ્રચાર મેનેજર અજય ત્રિવેદીએ કહ્યું કે, અમે આપ વાળા દિલ્હીના મોડલની રજૂઆત સાથે પ્રચારનો પ્રારંભ કર્યો છે અને અમારા ઉમેદવાર રિટાબેન સુનિલ પ્રજાપતિ, અલ્પેશ પરમાર અને મુમતાઝબેન અકબરભાઈ મુલતાનીને બંને પક્ષ કરતા સારો આવકાર પણ મળી રહ્યો છે. સ્થાનિક કનસાડ, સચિન, ઉન, આભવા -વોર્ડ - 30 માં આપ અને ભાજપની સાથે કોંગ્રેસ પણ ચૂંટણી પ્રચારમાં પરંપરાગત ખેસ, ઝંડા, બેનર, પોસ્ટર, સ્ટિકર, બકકલ અને સેનિટાઇઝર સાથે પ્રચાર-પ્રસારમાં જોડાયું છે જેથી માહોલ ગરમાયો છે. કોંગ્રેસના ઉમેદવારો મનોજસિંહ પરમાર, સુરજ એસ પટેલ, શીતલબેન ભરવાડ અને રૂક્સાનાબેન જુમ્મા દ્વારા વોર્ડ-30ની મુલાકાત દરમિયાન વિસ્તારનાં મુખ્ય મુદ્દા-સમસ્યા સાથે કોરોના મહામારી વચ્ચે મતદારોના આકર્ષણ કાજે સેનિટાઇઝર અને માસ્કનો સહારો લઈ રહી છે, આમ પ્રચાર પ્રસાર કરી રહી છે. કોંગ્રેસ પ્રમુખ જયેશ દેસાઈના જણાવ્યાં મુજબ અમારા પક્ષના ભદ્રેશસિંહ પરમાર માજી કોર્પોરેટરે આ વખતની ચૂંટણી નહીં લડવા અને પક્ષમાં સામાન્ય કાર્યકર્તા બનીને કામ કરીશની પહેલ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને કરી હતી અને આજે તેઓ તેમના અનુભવો સાથે અમારી સાથે કામ કરી રહ્યા છે. સ્થાનિકોમાં ઉમેદવારોને સારો એવો બધે આવકાર પણ મળી રહ્યો છે. એજ પ્રમાણે ભાજપ ના કન્વીનર ઉમેશભાઈ પટેલે પણ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ચિરાગસિંહ હરેન્દ્રસિંહ સોલંકી, હસમુખભાઈ શંકરભાઇ નાયકા, રીનાદેવી અજીતસિંહ રાજપૂત, પિયુષાબેન ભરતભાઈ પટેલ ઘરે ઘરે મુલાકાત કરી રહ્યા છે અને જનતા નો ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આમ જોતાં મતદારોને રીઝવવા ત્રણે પક્ષો એડિચેટીનું જોર લગાવી રહ્યા છે. ત્રણે પક્ષે ચૂંટણીની આગ બરોબર લાગી છે. જેથી “ કિસ કી આગ બુઝેગી? ” તેનો જવાબ તો તારીખ 21 ના રોજ મતદાતાઓ જ નક્કી કરશે ? અહી આપના મેનેજરે જણાવ્યા મુજબ અનેક સોસાયટીઓમાંથી આપ ને નિમંત્રણ મળી રહ્યા છે જણાવે છે જેથી હવે ભાજપ કે કોંગ્રેસ ને સ્થાનિકો જાકારો આપશે અને આપ તમામ સાઈટ પર કબજો જમાવશે એવું અજય ત્રિવેદી જણાવે છે
Comments