top of page

તલંગપુર મહાદેવ મંદિરે મહામંડલેશ્વર અખાડાના મહંતનનું ઉષ્માભર્યું સ્વાગત..

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Aug 24, 2021
  • 1 min read



સચિન પ્રજા પંખ દ્વારા: મનપા વોર્ડ-૩૦માં સ્થિત તલંગપુર ગામ ખાતે ગત રોજ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન નીલકંઠ મહાદેવ મંદિરે મહામંડલેશ્વર જૂના અખાડાના મહંત એવા ડો.ઉમાકાંત સરસ્વતી મહારાજનું ઉષ્માભર્યું ભવ્ય સ્વાગત, સ્થાનિક મંદિરના ટ્રસ્ટીઓ અને ગામના અગ્રણીઓ, ભાઈ બહેનો તથા રાજકીય આગેવાનો દ્વારા વિધીવત કરાયું, મંદિરમાં મહાદેવજીના દર્શન કરી ડો. ઉમાકાંત સરસ્વતી મહંતે આશીર્વચન આપતાં, શ્રાવણ માસમાં મહાદેવ પૂજા મંત્રોચ્યાર, જાપ વિશે પ્રકાશ પાડ્યો હતો, સુરત શહેર મંત્રી ભીખુભાઈ પટેલના નિમંત્રણને માન આપી ડો. ઉમાકાંત મહંતજીની પધરામણી સંતોની ભૂમિ એવા તલંગપુર ખાતે થઇ હતી. સ્થાનિક માજી સરપંચ અને વર્તમાન ભાજપા સંગઠન મહાનગર શહેર મંત્રી ભીખુભાઈ પટેલના નવા નિવાસ સ્થાને પણ મહંત ડો.ઉમાકાંત સરસ્વતી મહારાજનું ઉષ્માભર્યું ભવ્ય સ્વાગત પરિવાર દ્વારા કરવામાં આવ્યું અને ભીખુભાઈને અને પરીવારને આશીર્વાદ આપ્યાં હતાં. મહંતના દર્શન કાજે પધારેલ મહાનુભાવો તસ્વીરમાં દૃષ્ટિ ગોચર થઇ રહ્યા છે. આ પાવન પ્રસંગે ભીખુભાઈએ કહ્યું કે, આજે પવિત્ર શ્રાવણ માસે મહામંડલેશ્વર જૂના અખાડાના મહંત એવા ડો.ઉમાકાંત સરસ્વતી મહારાજનાં પાવન ચરણો થી અમારા તલંગપુર ની ધરતી પાવન થઇ ગઈ છે.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page