તલંગપુર ખાતે શિવકથાનો બિજો દિવસ તલવારની ધાર કરતાં જીભની ધાર તેજ હોય છે. કથાકર વક્તા મેહુલભાઇ જાની..
- Praja Pankh
- Feb 25, 2022
- 1 min read


પ્રજાપંખ સચિન : તલંગપુર ખાતેનાં નિલકંઠ મહાદેવ મંદીરના પરીસરમાં ચાલતી શિવ કથાનો બિજો દિવસ જેમાં આજે વક્તા કથાકાર મેહુલભાઇ જાનીએ કહ્યુ કે, આજે પ્રથમ દિવસ છે અને ભાવિક ભક્તોની ભીડ અહી ઉભરાઇ રહી છે અને આપ શ્રોતાજનો કથા શ્રવણનો જે શાંતીથી લાભ લઈ રહ્યા છો જે મારે મન આનંદની વાત છે. આવા સંસ્કાર છે એટલેજ આ સંતોની ભુમિ તલંગપુર છે. શિવ કથાનું આયોજન નિલકંઠ મહાદેવ મંદીર ટ્રસ્ટ અને ગ્રામજનો દ્વારા આયોજિત આ કથાના વક્તા તરીકે વિશ્વવિખ્યાત કથાકાર શ્રી મેહુલભાઇ જાની પોતાની ધારદાર શૈલીમાં રસપાન કરાવી રહ્યા છે. સવારે દરરોજ પિતૃ યસ અને પિતૃ પૂજા હોય જેમા આજે યજમાન ભિખુભાઇ પટેલ સામાજીક અને રાજકરણી આગેવાન તથા ગામના વડા બધા યુવાનો દ્વારા પૂજા ક્રરવામા આવી, કથાની શરુઆત પવિત્ર પૂજા અને વ્યાસ પીઠ્ની પૂજા કરી થઈ હતી. પૂજ્ય બાપૂએ શ્રોતાગણનો ને કહ્યું કે, તેઓ ભુતકાળ ભૂલી જાય, ભવિષ્યની ચિંતા ના કરે અને વર્તમાન સમયને આનંદિત બનાવો. જે સમયે ભગવાનની પૂજા અને કથા અને સેવામા જાય તે સમય જીવંત ગણવામા આવે છે. આજે કથામાં પૂજ્ય બાપૂએ શિવને બિલીપત્ર, ભસ્મ, શિવરાત્રી અને શિવલિંગ દર્શનનું મહત્વ સમજાવી ભક્તોના દિલ જીતી લીધા હતાં. નિલકંઠ પટાગણને પૂજ્ય બાપૂએ શિવ અને સેવાની સત્સંગની ભુમી દર્શાવી હતી, કારણ શિવનું મંદીર છે સત્સંગ ચાલે છે અને લોકડાઉન ના સમયમા ભિખુભાઇ અને એમની ટીમ દ્વારા 50 હજાર ભવિક ભક્તોને વિનામૂલ્યે ભોજન કરાવ્યું હતું તેથી તલંગપૂર એ સેવા ની જ ભુમી છે. આજે શિવ કથામાં શ્રી અજિતભાઇ પટેલ, અખિલ ભારતિય કોળી સમાજના પ્રમુખ, શ્રી કાંતીભાઇ યુ.એસ.એ., ધીરુભાઇ પટેલ ઉંડાચ, તથા ચોપરા સાહેબ પરિવાર પણ કથા શ્રવણ કરવા ઉપસ્થિત રહ્યું હતું. ત્યારે ટ્રસ્ટ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું ભવ્ય સ્વાગત કરાયું અને સર્વ ભક્તોનો પણ ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો. આવતીકાલે કથામા નવદુર્ગા ઉત્સવ ઉજવામા આવશે.
Comments