રુસ્તમ ફિલ્મમાં નેશનલઍવોર્ડ વિનર અક્ષય કુમાર અને ડાયરેકટર ટીનુ સુરેશ દેસાઈ ફરિવાર એકસાથે......
- Praja Pankh
- May 12, 2022
- 3 min read
રાણીગંજ કોલસાની ખાણ એ પ્રથમ ભારતીય કોલસાની ખાણ હતી, જે બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના જોન સુમનર અને સુએટોનિયસ ગ્રાન્ટ હીટલીએ ખાણકામ પ્રવૃત્તિઓ માટે લાયસન્સ મેળવ્યા પછી 1774માં ખોલવામાં આવી હતી બાદમા છેક 1974માં ખાણનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું જ્યાં અચાનક નવેમ્બર 1989માં મોટી ઐતિહાસિક દુર્ઘટના બને છે જેનું ફિલ્મી ચિત્રણ કરી રહ્યા છે પ્રખ્યાત “રુસ્તમ’’ ફેઈમ ડિરેકટર ટીનુ સુરેશ દેસાઇ. . . .
સચિન પ્રજાપંખ : સુપર ડુપર હિન્દી ફિલ્મ રુસ્તમનાં ડાયરેકટર ટીનુ સુરેશ દેસાઇ કંઇક નવું કરવામાં માહેર છે, તો બાયોપિક ફિલ્મ સ્ટોરી પર સુપર સ્ટાર બનતો અક્ષય કુમાર પણ કોઇનાથી પાછળ નથી અને એટલેજ સને 1989માં પ.બ.નાં રાણીગંજ કોલસા ખાણમાં થયેલ મોટી દુર્ઘટના પર આધારિત ફિલ્મમાં 64 ખાણિયોને કેવી રીતે બચાવ્યા હતા તે "કેપ્સ્યુલ ગિલ" નામક ફિલ્મના ડાયરેકટર ટીનુ સુરેશ દેસાઇના ડાયરેક્શનમાં ફરી એક વાર રૂસ્તમ ફિલ્મના નેશનલ ઍવોર્ડ વિનર અક્ષય કુમાર ફરિ ઝાબાંઝ માજી ચીફ માઇનિંગ એન્જિનિયર અધિકારી જસવંત સિંહ ગિલની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે. યાદ રહે ચાસનાલા કોલસા દુર્ઘટના પર 1979 માં "કાલા પથ્થર" નામક ફિલ્મ યશ ચોપરા બનાવી ચૂક્યા છે. આવી વીરપણા અને બહાદુરીવાળી ફિલ્મ આટલા વર્ષો બાદ પહેલીવાર ફરી ૨૦૨૩ માં ફિલ્મી પડદે જોવા મળશે, જેમાં ખાસ 64 ખાણિયોને કેવી રીતે મિસ્ટર ગિલ બચાવે છે, તે દિલ ધડક દૃશ્યો દર્શકોને મોટા પડદે જકડી રાખશે. યશ ચોપરાએ કાલા પથ્થરમાં અમિતાભ બચ્ચન, શશિ કપૂર, શત્રુઘ્ન સિંહ, નીતુ સિંહ, રાખી અને પરવીન બાબી જેવા મલ્ટી સ્ટાર લીધા હતા. જ્યારે આ કોલ માઇનિંગ રેસ્ક્યૂ " કેપ્સ્યુલ ગિલ" ફિલ્મમાં ખુદ અક્ષય કુમાર મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે એની સાથે પરિણીતા ચોપરા પણ છે.
આ ફિલ્મનું ખાસ શીર્ષક ભૂતપૂર્વ ચીફ માઇનિંગ એન્જિનિયર જસવંત સિંહ ગિલનાં નામ પરથી રાખવામાં આવ્યું છે. કેમ કે, આ ફિલ્મ મુખ્યત્વે 1989ની કોલસાની ખાણની ઐતિહાસિક દુર્ઘટના પર સહુનું ધ્યાન કેન્દ્રિત કરશે અને કેવી રીતે ગિલે, પોતાનો જીવ જોખમમાં મૂકીને અને સત્તાવાળાઓના વિરોધ સામે જઈને એક કેપ્સ્યુલમાં બોરહોલમાં નીચે ઉતરી ફસાયેલા તમામ 64 ખાણિયાઓને બહાર કાઢવાનું કામ કર્યું. આમ સમગ્ર વાર્તા ઐતિહાસિક દુર્ઘટના પર આધારિત છે. પચ્છિમ બંગાળના રાણીગંજના આ ખાણમા અંધકારમાં ઝેરી ગેસ સાથે કામ કરવા કોલ્સા ખાણિયો અંદર જીવના જોખમે નીચે ઉતરે છે અને આ દુર્ઘટના બને છે. પાંચ વર્ષથી આ દુર્ઘટના પર અભ્યાસ કરતાં ડાયરેક્ટર ટીનુ સુરેશ દેસાઇ ખૂબ બારીકાઈથી સ્ક્રિપ્ટ માં ધ્યાન રાખી રહ્યા છે. ડાયરેક્ટર ટીનુ સુરેશ દેસાઇ અને હીરો અક્ષય કુમારને આપે 2016ની ક્રાઇમ થ્રીલર ફિલ્મ "રુસ્તમ" માં જોઈ ચૂક્યા છો. જેમા અક્ષયને નેશનલ ઍવોર્ડ મળયો હતો. હવે આ ફિલ્મ પૂજા એન્ટરટેઈનમેન્ટના વાશુ ભગનાની અને kyta પ્રોડક્શનના અજય કપૂર સંયુક્ત રીતે તેનું નિર્માણ કરશે. આ ફિલ્મ આ વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં અમૃતસરમાં ફ્લોર પર જશે. ટીનુ સુરેશ દેસાઇ છેલ્લા પાંચ વર્ષથી જે.એસ. ગીલની જીવનકથા પર કામ કરી રહ્યો છે અને આખરે તેને વૈશ્વિક દર્શકો સમક્ષ તેના સંપૂર્ણ મહિમામાં જીવંત કરવા માટે તૈયારી કરી લીધી છે. આમ ટીનુ સુરેશ દેસાઈએ ગિલના જીવની અધિકારો પણ ખરીદ્યા છે અને વધારાની વાર્તાના ઇનપુટ્સ માટે તેમના પુત્ર ડૉ. સર્વપ્રીત સિંહ ગિલ સાથે પણ સતત સંપર્કમાં રહે છે. સિને રસિકો
માટે "કેપ્સ્યુલ ગિલ" ફિલ્મ એ 2022-23 માટે સુપરસ્ટાર નેશનલ એવોર્ડ વિનર અક્ષય કુમારના ફિલ્મ કેરિયર કેલેન્ડરમાં નવો ઉમેરો છે. તેની પાસે પહેલાથી અનેક ફિલ્મો ફ્લોર પર છે અનેક આ વર્ષે રિલીઝ થવાની છે, જ્યારે 2023 માટે પણ સમગ્ર વર્ષ ફૂલ છે જેમાં ખાસ અન્ય ફિલ્મો સાથે "કેપ્સ્યુલ ગિલ" ફિલ્મ વાસ્તવિક જીવનની વાર્તા શૈલીની બીજી ફિલ્મ છે જે કરવા માટે અક્ષય રિલેક્ષ છે. તે એરલિફ્ટ, રુસ્તમ, પેડમેન, ગોલ્ડ, કેસરી, મિશન મંગલ અને બેલ બોટમ જેવી ફિલ્મોને અનુસરે છે. તેની આગામી રિલીઝમાં પણ અનેક બાયોપિક ફિલ્મો છે. જેમ કે યશ રાજ ની પૃથ્વીરાજ અને પુરણ સિંહ ચૌહાણની ગોરખા જેમાં પૃથ્વીરાજ એ સુપ્રસિદ્ધ રાજપૂત યોદ્ધા પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત ઐતિહાસિક નાટક છે અને ગોરખા એ ભારતીય સેનાની ગોરખા રેજિમેન્ટના પીઢ અધિકારી મેજર જનરલ ઇયાન કાર્ડોઝો પર બની રહી ફિલ્મ છે. આટલી બધી ફિલ્મો વચ્ચે પણ સમય કાઢી "કેપ્સ્યુલ ગિલ" પર અક્ષય કામ કરશે......
Comments