જેલ વિભાગ ના આઈ. જી. રાવ હસ્તે લાજપોર મધ્યસ્થ જેલ ખાતે ચિકિત્સાલય અને ભજીયા હાઉસ નું લોકાર્પણ થયું..
- Praja Pankh
- Sep 30, 2021
- 1 min read

સચિન પ્રજાપંખ : સુરતના લાજપોર સ્થિત લાજપોર મધ્યસ્થ જેલની પરિસરની જગ્યામાં ભજીયા હાઉસ તેમજ વિશેષ જેલ પરિવારના કલ્યાણ માટે સ્ટાફ દવાખાનાનું ઉદઘાટન જેલ વિભાગ ના આઈ જી શ્રી રાવ સાહેબ અને જેલ સુપ્રિટેન્ડેન્ટ શ્રી નિનામાજીના શુભ હસ્તે કરી લોકાર્પણ કરવામાં આવ્યું.
આ જાહેર સ્વાસ્થ્ય કલ્યાણ કાર્ય માટે આસી. ઇજનેર અશોક પટેલ દ્વારા પણ પ્રશંસનીય કામગીરી થઇ છે. આ શુભ સમયમાં લાજપોર મધ્યસ્થી જેલનો તમામ સ્ટાફ પરિવાર હાજર રહ્યો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જેલ પર કેદીને મળવા આવનાર પરિવાર અને જેલ સ્ટાફ પરિવારના કલ્યાણ માટે ખાસ જેલ સુપ્રિ. નિનામાના માર્ગદર્શનમાં આ ડીસ્પેન્સરી અને પ્રખ્યાત ભજીયા હાઉસ વિધિવત્ ઉભુ કરવામાં આવ્યું છે. આ ભજીયા હાઉસની વિશેષતા એ છે કે આ ભજીયા હાઉસની મુલાકાત માટે છેક સુરત નવસારી તરફથી મુલાકાતીઓ ભજીયા નાં સ્વાદ માણવા ખાસ ફેમિલી સાથે આવે છે. આજના લોકાર્પણ કાર્યક્રમ થી જેલ મુલાકાતીઓ અને જેલ સ્ટાફ પરિવારમાં ખુશી નો માહોલ સર્જાયો છે.
Comentários