top of page

જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર-સુરત દ્વારા ૨૦ થી ૨૩ માર્ચ-૨૦૨૧ સુધી ચાર દિવસ વિવિધ દિવસોની ઉજવણી કરી

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Mar 24, 2021
  • 2 min read

સચિન: સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ હસ્તકની ગુજરાત કાઉન્સિલ ઓન ટેકનોલોજી (GUJCOST) ગાંધીનગર-પ્રાયોજિત જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર-સુરત (District Community Science Centre) છેલ્લા 16 વર્ષથી સુરત ખાતે કાર્યરત છે. વિજ્ઞાનના પ્રચાર અને પ્રસારને લગતા અનેકવિધ કાર્યક્રમો/ સ્પર્ધાઓ અને વિજ્ઞાન/પર્યાવરણ સંબંધિત દિવસો/વીકની ઉજવણી જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે.

આ વખતે તારીખ ૨૦ થી ૨૩-માર્ચ દરમ્યાન વિજ્ઞાન/પર્યવરણ સબંધિત વિવિધ વિજ્ઞાન/ પર્યાવરણ સંબંધિત દિવસો હતા. જેમકે

તા.૨૦માર્ચ-૨૦૨૧ના રોજ “વિશ્વ ચકલી દિવસ” નિમિતે ચકલી વિશે સરક્ષણ અને સંવર્ધન અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે ચકલીના ઘર માટે માળા બનાવીને તેનું વિતરણ કરવામાં આવ્યું અને તેની સાથે અમારા લોક વિજ્ઞાન ખાતે આવેલા હર્બલ ગાર્ડનમાં માળાને લટકાવવામાં આવ્યા.અને અમારી યુ ટયુબ ચેનલ અને સોશીયલ મીડિયા દ્વારા ચકલીના માળા કેવી રીતે બનાવાય તેની ઓનલાઈન વોર્ક્શોપનો વિડિઓ પ્રસારિત કરવામાં આવ્યો ત્યારબાદ

૨૧-માર્ચના રોજ “વિશ્વ વન દિવસની” ઉજવણી નિમિત્તે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

પછી ૨૨-માર્ચના રોજ “વિશ્વ જળ દિવસ”ની ઉજવણી અંતર્ગત ઓનલાઈન ક્વીઝ નું આયોજન કરવામાં આવ્યું હતું અને અંતે તારીખ

૨૩-માર્ચ આજ રોજ “વિશ્વ હવામાનશાસ્ત્ર દિવસ”ની ઉજવણી નિમિતે લોક વિજ્ઞાન કેન્દ્ર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ના સયુંકત ઉપક્રમે વેબિનાર દ્વારા ખેડૂતોને ભારતના હવામાન અને કૃષિ ઉત્પાદન સાથેના સબંધ તેમજ ખેડૂતોને હવામાન અને આબોહવા સબંધિત માહિતી કૃષિ નિષ્ણાંતો દ્વારા પૂરી પાડવામાં આવી, વિવિધ એપ્સની માહિતી કૃષિ નિષ્ણાત શ્રી.અભિનવ એન. પટેલ (વિષય તજજ્ઞ- ક્રુષો હવામાન શાસ્ત્ર) અને પ્રો. ભક્તિબેન બી. પંચાલ (બાગાયત વૈજ્ઞાનિક) કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરત દ્વારા અને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યુ. KVK- સુરત સેન્ટરના હેડ ડો. જનકસિંહ રાઠોડ સાહેબ સ્વાગત પ્રવચન દ્વારા સૌને આવકાર્યા હતા, ઉપરોક્ત ચારેય કાર્યક્રમોમાં લગભગ ૫૦૦ જેટલા લાભાર્થીઓ ઓફલાઇન/ ઓનલાઈન સહભાગી થયા હતા એવું

જી. એન. કાકડીયા,

ડાયરેક્ટર, જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર- સુરતે જણાવ્યું હતું...


આ વખતે તારીખ ૨૦ થી ૨૩-માર્ચ દરમ્યાન વિજ્ઞાન/પર્યવરણ સબંધિત વિવિધ વિજ્ઞાન/ પર્યાવરણ સંબંધિત દિવસો હતા.

તા.૨૦માર્ચ-૨૦૨૧ના રોજ “વિશ્વ ચકલી દિવસ” નિમિતે ચકલી વિશે સરક્ષણ અને સંવર્ધન અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે ચકલીના ઘર માટે માળા બનાવીને તેનું વિતરણ કરવામાં આવ્યું અને તેની સાથે અમારા લોક વિજ્ઞાન ખાતે આવેલા હર્બલ ગાર્ડનમાં માળાને લટકાવવામાં આવ્યા.અને અમારી યુ ટયુબ ચેનલ અને સોશીયલ મીડિયા દ્વારા ચકલીના માળા કેવી રીતે બનાવાય તેની ઓનલાઈન વોર્ક્શોપનો વિડિઓ પ્રસારિત કરવામાં આવ્યો

૨૧-માર્ચના રોજ “વિશ્વ વન દિવસની” ઉજવણી નિમિત્તે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

પછી ૨૨-માર્ચના રોજ “વિશ્વ જળ દિવસ”ની ઉજવણી અંતર્ગત ઓનલાઈન ક્વીઝ નું આયોજન કરવામાં આવ્યું હતું અને અંતે

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page