જિલ્લા લોક વિજ્ઞાન કેંદ્ર સુરત દ્વારા ઊર્જા વિષે માર્ગદર્શન જનજાગ્રુતી સેમિનાર યોજવામા આવ્યો
- Praja Pankh
- Oct 29, 2021
- 1 min read
સચિન પ્રજા પંખ દ્વારા : ગત રોજ કવિ શ્રી સુંદરમ પ્રાથમિક શાળા ક્રમાંક 24 માં જિલ્લા લોક વિજ્ઞાન કેંદ્ર સુરત દ્વારા ગુજરાત ઊર્જા વિકાસ એજંસી ગાંધીનગર પ્રેરીત બાળ ઊર્જા રક્ષક દળ કાર્યક્રમ અંતર્ગત ઊર્જા વિષે માર્ગદર્શન જનજાગ્રુતી સેમિનાર યોજવામા આવ્યો હતો, શાળાના આચાર્ય નરેંદ્રકુમાર પટેલે મહેમાન જી એન કાકડીયાનું સન્માન શ્રી સ્વામિ વિવેકાનંદજીની ઊર્જાવર્ધક તસ્વીર આપી કરાયું હતું. કાકડિયાએ પ્રોજેક્ટરના માધ્યમ ધોરણ 6 થી 8 ના વિધ્યાર્થીઓને ઊર્જા અને તેનું મહત્વ, મુખ્ય સ્ત્રોત અને અવિવેક્પૂર્ણ વાપરવાથી ઉપસ્થિત થયેલ વૈશ્વિક સમસ્યાઓ અને પડકારો અંગે વિસ્તુત સમજ આપી હતી અને તેની ઉકેલ માટેના વિક્લ્પો પણ આપ્યા હતાં, ખાસ કરી ટકાઉ, પુન:પ્રાપ્ત ઊર્જા વિષે વિસ્તુત સમજ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંકલન સંચાલન વિજ્ઞાન શિક્ષકો સર્વ રજનીશભાઇ ગોરસીયા અને દેસાઇ રશ્મિતાબેન દ્વારા કરવામાં આવ્યું હતું, આ સુંદર આયોજનમાં સહુએ ભાગ લીધો હતો જેમાં 150 થી વધુ બાળકો, શિક્ષકોએ આ કાર્યક્રમમા સહભાગી થયા હતાં અને કાર્યક્રમના અંતે ક્વીઝ અને અન્ય પ્રવ્રુતિઓ દ્વારા પણ જ્ઞાન વર્ધન કરાવ્યું હતું
Comments