જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઇએ પોતાનો જન્મ દિવસ સદભાવના દિવસ રુપે ઉજવ્યો . . . .
- Praja Pankh
- May 23, 2021
- 2 min read
સચિન : સંદિપ દેસાઇ એ જમીન સાથે જોડાયેલો કિસાન પુત્ર છે, જેનાથી આમ છેવાડાના આદમીને જોઈતી સવલતોની એણે ખબર પડે છે. તે રાજકારણ ની સાથે સહકારી અને શૈક્ષણિક ક્ષેત્રે આગળ છે, એવા વ્યક્તિનો જન્મદિવસ હોય એટલે બહુ ધામધુમથી ઉજવાય, પરંતુ આજે, આવુ કંઇ થયું નહિ, હમેશાં સેવાને જીવન મંત્ર બનાવનાર કર્મઠ, રાજકીય, કાર્યદક્ષ, શિક્ષણ પ્રેમી અને સર્વ પ્રિય યુવા નેતા છે જેથી આજનો યુવાન આ સંદિપ દેસાઇમાંથી ઘણી પ્રેરણા મેળવી શકે છે, તે ઉચ્ચપદે બિરાજમાન હોવા છતાં આજે પણ સક્રિયતા, માનવતા અને લોકકલ્યાણની ભાવના અવશ્ય રાખે છે, આ વ્યક્તિને છેવાડાના માનવીની પીડા સ્પર્શે છે અને તેઓ એમને માટે કંઈક કરી રહેવા હમેશા આગળ રહે છે. એને મોટા પદનો ઘમંડ નથી, એવા યુવા અને કર્મઠ સહુના લોકપ્રિય અને દીર્ઘ દ્રષ્ટિ ધરાવતા સંદીપ દેસાઇએ પોતાનો જન્મ દિવસ ૨૨/૦૫/૨૦૨૧ આજે સાદાઇથી સદભાવના દિવસ રુપે ઉજવી સમાજમાં એક અનોખુ ઉદાહરણ પુરુ પાડ્યુ છે. સંદીપ દેસાઇ ભાજપ સુરત જિલ્લા સંગઠન પ્રમુખ, ધી સુરત ડિસ્ટ્રીક કો.ઑ. બેન્કના ઉપ-પ્રમુખ, એ પી એમ સી માર્કેટના વાઇસ ચેરમેન, સુમુલ ડેરીના ડિરેક્ટર અને ચલથાન શુગર ફેકટરીના ડિરેક્ટર તરીકે તન મન થી સેવા આપી રહ્યા છે. તેઓ મુળ કનસાડ ગામના વતની હોવાથી અને સુરત જિલ્લા ની શૈક્ષણિક સંસ્થાઓમાં અગ્રસર સચિન વિભાગ કેળવણી મંડળના પ્રમુખ હોવાથી સચિન સાથે જમીની નાતો ધરાવે છે. આજરોજ એમના જન્મદિન નિમિત્તે સદભાવના રુપે તેમના સમર્થકો દ્વારા પ્રથમ સચીન એલ. ડી. હાઈસ્કૂલ ખાતે સફાઈ કર્મચારી બહેનો ને સાડી તેમજ માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું ઉપરાંત આજના કોરોના કાળ દરમિયાન લાજપોર જળકુવા સ્મશાન ગૃહ ખાતે કામગીરી કરતા તમામ કર્મચારી ને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત વીમા પોલિસી પણ એમના હસ્તે એનાયત કરવામા આવી. ત્યાંથી આગળ કનસાડ ગામ ખાતે પણ વિધવા માતાઓને સાડી તેમજ માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું, આમ આ રીતે પોતાનો જન્મદિવસ માનવ સેવા કરી સદભાવના રુપે ઉજવવામાં આનંદ મેળવ્યો, આ પ્રસંગે કોરોના કોવિડ-૧૯ નિયમોનુ પાલન કરી આમ જનતાનુ વિચારી કોઇ પણ જાહેર કાર્યક્રમ એમના દ્વારા નથી રખાયો આજ ખાસીયતથી સંદિપ દેસાઇ સહુના લોકપ્રિય છે એવું ટી.પી. સમિતિ સદસ્ય ચિરાગસિંહ સોલંકી એ જણાવ્યું, આજના સદભાવના સેવાકિય પ્રવ્રુત્તિઓમાં પ્રદેશ કારોબારી આમંત્રીત સદસ્ય અને માજી સચિન નગર પાલિકા પ્રમુખ જયરાજબા કુંવરબા સોલંકી, ડે. સરપંચ લાજપોર અશોક્ભાઇ પટેલ, મનપાના કાયદા સમિતિ ચેરમેન હસમુખભાઇ નાયકા, ટી.પી. સમિતિ સદસ્ય ચિરાગસિંહ સોલંકી, પાણી સમિતિ સદસ્ય રિનાબેન રાજપુત અને બાંધકામ સમિતિ ચેરમેન પિયુષાબેન પટેલ, માજી સરપંચ પારડી તેજસ આહીર, ડે. સરપંચ ઉમ્બેર રાજુભાઇ પટેલ, કનકપુર નગર પાલિકા માજી નગર સેવક મુકેશભાઇ પટેલ, માજી કનકપુર નગર પાલિકા પ્રમુખ મહેંદ્ર્સિંહ ચૌહાણ અને દિપિકાબેન ભાવસાર તથા ભરવાડ સમાજ અગ્રણી હાજા કસોટીયા, મિડીયા સેલના તેજસ જૈન અને અન્ય સમાજ સેવકો ઉપસ્થિત રહ્યા હતાં.
Comentarios