top of page

જીલ્લા ભાજપા પ્રમુખ સંદીપભાઇ દેસાઇ ધ્વારા લાજપોર જેલને મળી એમ્બ્યુલન્સ અને સીટી બસ.....

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Nov 23, 2021
  • 1 min read

સચિન પ્રજાપંખ : સુરત જીલ્લા ભાજપા ના પ્રમુખશ્રી સંદીપભાઇ દેસાઇ ધ્વારા સરકારમાં કરવામાં આવેલ રજૂઆત ના પગલે સુરત જીલ્લા વહીવટી તંત્ર દ્વારા લાજપોર મધ્યસ્થ જેલના 3000 કેદીઓ માટે એમ્બ્યુલન્સ સેવા તેમજ સુરત મહાનગર પાલિકા દ્વારા લાજપોર મધ્યસ્થ જેલથી સુરત શહેર સુધી આમ જનતાની સુવિધા માટે બસ સેવાના લોકાર્પણ કાર્યક્રમ થયો જેમાં ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઈ સંધવી તેમજ રાજ્ય કક્ષાના ઊર્જા મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ ની અધ્યક્ષતામાં વિશાળ જનસમુદાય વચ્ચે એમ્બ્યુલન્સ અને સીટી બસ ની શુભ શરૂઆત કરવામાં આવી...

આ પ્રસંગે સુરત મહાનગપાલિકા ના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, સાંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રીઓ, કલેકટરશ્રી, લાજપોર જેલ ના અધિકારીશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, સંગઠનના હોદેદારો, જીલ્લા/તાલુકા ના હોદેદારશ્રીઓ,આજુ બાજુ ગામો ના સરપંચશ્રીઓ, જેલના અધિકારીશ્રીઓ, તમામ મોરચાના હોદેદારો તથા કાર્યકર ભાઈઓ, બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા...

પ્રસંગને અનુરૂપ એમ્બ્યુલન્સ મળતા લાજપોર જેલ અને સ્થાનિક ગ્રામવાસીઓને બસ મળતાં હર્ષની લાગણી પ્રસરી છે. આજના પ્રસંગે લાજપોર ડે. સરપંચ અશોક પટેલ સાથેના અન્ય સરપંચો અને અગ્રણીઓ એ લોકલાડીલા સુરત જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ સંદીપ દેસાઈને આ રીતે હંમેશા આમ લોકોના હિતનાં કાર્ય કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતાં.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page