જિલ્લાપંચાયતની ૩૬ બેઠક અને તાલુકા પંચાયતની ૧૮૪ બેઠકોપર ૯,૮૧,૨૩૪ મતદારો મતાધિકારનો ઉપયોગ કરસે.
- Praja Pankh
- Feb 16, 2021
- 1 min read
.

સુરત:મંગળવાર: રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આગામી તા.૨૮ ફેબ્રુ.ના રોજ જિલ્લા પંચાયતની ૩૬ બેઠક અને તાલુકા પંચાયતની ૧૮૪ બેઠકોની ચૂંટણી યોજાશે. સુરત જિલ્લાના ૦૯ તાલુકામાં ચોર્યાસી, ઓલપાડ, કામરેજ, પલસાણા, બારડોલી, મહુવા, માંડવી, માંગરોળ અને ઉમરપાડામાં ચૂંટણી યોજાનાર છે. મતગણતરી તા.૦૨ માર્ચના રોજ થશે. ૦૯ તાલુકામાં ૪,૯૬,૮૧૩ પુરૂષ, ૪,૮૪,૪૦૬ મહિલા અને ૧૫ ત્રીજી જાતિના મતદારો મળી કુલ ૯,૮૧,૨૩૪ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. તાલુકાઓમાં કુલ ૧૧૮૦ મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન મથક દીઠ સરેરાશ ૮૩૨ મતદારો નોંધાયા છે.
૦૯ તાલુકાઓ માટે ચૂંટણી કામગીરી માટે કુલ ૧૧૮૦ મતદાન મથકો માટે ૧૧૮૦ પ્રિસાઈડિંગ ઓફિસરો, ૧૨૫ રિઝર્વ પ્રિસાઈડિંગ ઓફિસરો, ૧૧૮૦ આસિ.પ્રિસાઈડિંગ અને ૧૨૭ રિઝર્વ આસિ. પ્રિસાઈડિંગ ઓફિસરો, ૩૨૩૧ પોલિંગ ઓફિસરો, ૨૪૫ રિઝર્વ પોલિંગ ઓફિસરો, ૧૧૮૦ પ્યુન તેમજ ૧૦૧ રિઝર્વ સ્ટાફ ફરજ બજાવશે.
Comments