જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ,જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી સુરત માં યોજાયેલ ફાઇનલ વકતૃત્વ સ્પર્ધા
- Praja Pankh
- Mar 8, 2022
- 2 min read


સચિન પ્રજાપંખ :
જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, સુરત અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, સુરતના સંયુક્ત ઉપક્રમે સુરત જિલ્લા સ્થિત ૧૪ એસ.વી.એસ.ના માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના બાળકોની આંતર એસ.વી.એસ.નું આયોજન કરવામાં આવેલ હતું જે પૈકી એસ.વી.એસ.દીઠ પ્રથમ અને દ્વિતીય ક્રમાંક વિજેતા બાળકોની ફાઈનલનું આયોજન સંસ્કાર ભારતી વિધાલય, રાંદેર, સુરત મુકામે કરવામાં આવેલ. ઉપરોકત સ્પર્ધામાં મુખ્ય અતિથિ તરીકે માનનીય શ્રી પી.એસ.કાલા સાહેબ, એડીશનલ ડિસ્ટ્રીકટ જજ, સુરત તેમજ શ્રી કે.એન.પ્રજપતિ, સચિવશ્રી, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, સુરત અને શ્રી રવિન્દ્ર નાહક, એડમીનીસ્ટ્રેટર, સંસ્કાર ભારતી વિદ્યાલય, રાંદેર રોડ, સુરતનાઓ ઉપસ્થિત રહ્યા હતાં. માનનીય શ્રી પી,એસ,કાલા સાહેબ દ્વારા પ્રસંગોને અનુરૂપ ઉદ્બોધન કરવામાં આવેલ હતુ. માધ્યમિક શાળાના બાળકો માટે વકતૃત્વ સ્પર્ધાના વિષયો ભારતીય નાગરીકના મુળભુત અધિકારો અને ફરજો, પર્યાવરણ - સૃષ્ટિ માટે અમૂલ્ય, બેટી બચાવો, બેટી ભણાવો હતા, તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના બાળકો માટે લોકશાહી અને બંધારણીય અધિકારો, જાતીય શોષણ એક ગંભીર અપરાધ, સ્ત્રી સશક્તિકરણ અને કાયદો હતા. આમ માધ્યમિક વિભાગ માટેના વિજેતાઓ પ્રથમ ક્રમાંકઃ- જૈન મહેક આશિષભાઇ, એસ.ઇ.એમ. હાઇસ્કુલ, સુરત દ્વિતીય ક્રમાંકઃ- કુંભાણી ઝીલ વિજયભાઇ, શ્રીમતી ત.વ.જરીવાલા કુમાર વિધાલય, સુરત તૃતીય ક્રમાંકઃ- વિશાલ યાદવ, ટી.એન્ડ ટી.વી, સાર્વજનિક હાઇસ્કુલ, સુરત રહ્યા હતાં આ સાથે ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટેના વિજેતાઓ પ્રથમ ક્રમાંકઃ-પરમાર યુકતા એમ., સરદાર પટેલ વિદ્યાલય, એના દ્વિતીય ક્રમાંકઃ- રાણા મૈત્રી, કે.એસ.કે.પી. ઉચ્ચતર માધ્યમિક શાળા, સુરત તૃતીય ક્રમાંકઃ- નારાક વિહા મનોજભાઈ, શ્રી ગો.જી.ભકત રામકબીરશાળા, કામરેજ હતાં. માધ્યમિક શાળાઓના બાળકોની સ્પર્ધા માટે નિર્ણાયક તરીકે શ્રી ભરતભાઇ ભટ્ટ, નિધિબેન અધ્વર્યુ, તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, સુરતના પેનલ વકીલશ્રી શ્રીમતી શોભનાબેન પી. છાપીયાનાઓએ સેવા આપેલ હતી. વધુમાં, ઉચ્ચતર માધ્યમિક શાળાના બાળકો માટે શ્રી વિમલભાઇ ચુડાસમા, તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, સુરતના પેનલ વકીલશ્રી રીલેશભાઇ લિંબાચીયા અને સુશ્રી બીનાબેન પી. ભગતનાઓએ સેવા આપેલ હતી. સમગ્ર સ્પર્ધાનું સફળ સંચાલન શ્રી ભરતભાઇ પંડિત દ્વારા કરવામાં આવેલ તેમજ શ્રી રબિન્દ્ર નાહક, એડમીનીસ્ટ્રેટર, સંસ્કાર ભારતી વિધાલય, રાંદર રોડ, સુરતનાઓ દ્વારા વિશેષ હાજરી આપીને વિધાર્થીઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.
Comentários