top of page

જીતુ પટેલ નામના બિલ્ડરનું અજાણ્યા ઈસમોએ બંદુકની અણીએ ફીલ્મી ઢબે અપહરણ કર્યું .

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Mar 31, 2021
  • 3 min read

સચિન પ્રજાપંખ દ્વારા : ગત તા . ૨૨/૦૩/૨૦૨૧ નારોજ ઉમરગામ ખાતે જીતુ પટેલ નામના બિલ્ડરનું અજાણ્યા ઈસમોએ બે હાઈસ્પીડ કારમાં આવી બંદુકની અણીએ ફીલ્મી ઢબે અપહરણ કરેલ હતુ . અપહરણ બાદ ગુનેગારોની ઓળખ થઈ શકે તેવા કોઈ નિશાન ગુનેગારો દ્વારા સ્થળ ઉપર છોડવામાં આવેલ ન હતા . આ બનાવ બન્યા બાદ તાત્કાલીક જીલ્લા પોલીસ વડા ડો . રાજદિપસિંહ ઝાલા દ્વારા સમગ્ર જીલ્લામાં નાકાબંધી કરવામાં આવેલ હતી . તેમજ જીલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી તમામ ટીમોને અલગ અલગ દિશામાં તપાસ સોંપવામાં આવેલ હતી . તેમજ સુરત રેન્જના વડા ડો . એસ.પી.રાજકુમાર દ્વારા આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ સુરત રેજ , સુરત શહેરતથા એ.ટી.એસ. ગુજરાતના બાહોશ અને યુનંદા અધિકારીઓની ટીમોને તથા વાપી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વી.એમ. જાડેજા નાઓને અપહત જીતુ પટેલની શોધખોળમાં લગાવેલ હતા , આ દરમ્યાન આરોપીઓ દ્વારા તા . ૨૪/૦૩/૨૦૦૧ થી જીતુ પટેલના મોબાઈલ સીમકાર્ડનો ઉપયોગ કરી અપહતના પત્નિને વારંવાર ફોન કરી રૂ . 30,00,00,000 / - ની ખંડણી માંગવામાં આવેલ હતી . તેમજ ખંડણી આપવામાં ન આવે તો અપહતને જાનથી મારી નાંખવાની ધમકી આપેલ હતી . તેમજ ભોગ બનનારના પત્નિ દ્વારા ખંડણીની રકમ માંથી ઓછા કરવા વારંવાર વિનંતી કરવા છતાં એક પણ રૂપિયો ઓછો કરવા આરોપીઓ તૈયાર થયેલ ન હતા . ત્યારબાદ આરોપીઓનું પગેરૂ મેળવવા માટે અલગ અલગ રાજ્યોના વિવિધ શહેરોમાં ખાનગી બાતમીદારો તથા અસંખ્ય સી.સી.ટી.વી. ફુટેજનું એનાલીસીસ કરી ટેકનીકલ બાબતો ધ્યાનમાં લેવામાં આવેલ હતી, આ બનાવના અનુસંધાને સુરત રેન્જના વડા ડો . એસ.પી.રાજકુમાર તથા વલસાડ જીલ્લા પોલીસ વડા ડો . રાજદિપસિંહ ઝાલા નાઓ મુંબઈ ખાતે સતત પોતાનો કેમ્પ રાખી અને સીધા માર્ગદર્શન અને તપાસમાં સામેલ રહી ચોક્કસ બાતમીના ફળ સ્વરૂપે તા . ૨૯-૩૦ / ૦૩ / 2021 ની મોડી રાત્રી દરમ્યાન ભોગ બનનાર જીતુ પટેલને મહારાષ્ટ્રના રત્નાગીરી ખાતેથી હેમખેમ બચાવી લેવાયા છે . તેમજ તમામ ૭ અપહરણકારોને પિસ્તોલ -૧ , મેગઝીન -૨ , મોબાઈલ ફોન -૮ તથા સીમકાર્ડ , રોકડ રકમ , ગુનામાં વપરાયેલ કાર નંગ -2 હોન્ડા સીટી તથા ફોર્ચ્યુનર કે જે બંને કાર દિલ્લી ખાતેથી ચોરી કરેલ હતી . . બનાવટી નંબર પ્લેટ નંગ -૬ , ખોટા ઓળખ પત્ર જેવાકે આધારકાર્ડ વિગેરે મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવેલ છે . આ ગુનામાં આરોપીઓ દ્રારા રૂપિયા ત્રીસ કરોડની માંગણી કરવામાં આવેલ હતી જે પૈકી એક પણ રૂપિયો યુકવ્યા વગર અપહૃત વ્યક્તિને પોલીસ દ્વારા હેમખેમ છોડાવી પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે . આ ગુનાહિત કૃત્ય બદલ જેલમાં રહેલા કુખ્યાત અપહરણકર્તા ચંદન સોનાર તથા તેના સાગરીતો જેવા કે પપ્પુ ચૌધરી , દિપક ઉર્ડ અરવિંદ યાદવ , અજમલ હુસેન અંસારી , અયાઝ , મોબીન ઉર્ફે ટકલ્યા . ઈશાક મુંઝવર , તથા જીતેશ કુમાર ઉર્ફે બબલુ કુમાર યાદવ દ્વારા છેલ્લા દોઢ મહિનામાં વારંવાર રેકી કરી સંપૂર્ણ આયોજન બધ્ધ રીતે ખંડણી માટે અપહરણ કરવામાં આવેલ હતું . આ ગેંગ સમગ્ર દેશમાં અપહરણનું નેટવર્ક ચલાવે છે , ચંદન સૌનાર તથા પપ્પુ ચૌધરી નાઓ હનીફ હિંગોરા અપહરણ કેસના આરોપી હતા , તે ઉપરાંત રાયપુર ( છતીસગઢ ) ખાતે પ્રવિણ સોમાણી ખપહરણ કેસમાં પણ પપ્પ યૌધરી તથા અરવિંદ નાસતા ફરતા આરોપી છે , હનીફ હિંગોરા કેસમાં પપ્પુ ચૌધરી બે વર્ષ લાજપોર જેલમાં રહેલ હતો . જેલમાંથી છુટ્યા બાદ ફરીથી અપહરણના ગુનાઓ ચાલુ રાખેલ . આ ઉપરાંત અન્ય રાજયોના કેટલાક ગુનાઓમાં પણ પપ્પુ ચૌધરી વોન્ટેડ છે .આ બનાવની તપાસમાં પો.ઈ. વી.બી. બારડ તથા એસ.ઓ.જી. ટીમ , પો.ઈ. જે.એન. ગૌસ્વામી તથા એલ.સી.બી. ટીમ , પો.ઈ. વી.એચ. જાડેજા , પો.ઈ. બી.જે. સરવૈયા , પો.ઈ. વી.જી. ભરવાડ , પો.ઈ. વી.ડી. મોરી નાઓ જોડાયેલ હતા . તેમજ સુરત રેન્જના અધિકારીઓ , ગુજરાત એ.ટી.એસ , સુરત શહેર કાઈમ બ્રાન્ચ , સુરત શહેર એસ.ઓ.જી.તથા મીરા ભાયંદર શહેર પ્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ તથા તેમની ટીમ વલસાડ જીલ્લા પોલીસ સાથે તપાસમાં જોડાયેલ હતી . આમ , સમગ્ર ગુજરાત પોલીસની અલગ અલગ ટીમો અને મહારાષ્ટ્ર પોલીસના સંકલનથી આ કામગીરી સફળ થયેલ છે . બ્યૂરો રિપોર્ટ - પ્રજાપંખ તા. 31-03-2021

 
 
 

Recent Posts

See All
ગુજરાતની ત્રણ હસ્તીઓ પદ્મ એવોર્ડથી સન્માનિત

રાષ્ટ્રપતિએ ગુજરાતના શ્રીમતી કુમુદિની લાખિયા (મરણોત્તર)ને કલા ક્ષેત્રમાં પદ્મ વિભૂષણ, શ્રી લવજીભાઈ નાગજીભાઈને કલા ક્ષેત્રમાં પદ્મશ્રી અને...

 
 
 

留言


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page