top of page

જમિયત - એ – ઉલમા સુરત અને લાજપોર દ્વારા જીવન જરુરીયાતની વસ્તુઓ અર્પણ કરી માનવતાં મહેકાવી...

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Aug 10, 2021
  • 1 min read

જમિયત - એ – ઉલમા સુરત અને લાજપોર દ્વારા

મહારાષ્ટ્ર ના સાંગલી જિલ્લા અને તાલુકાના પૂર પિડિત લોકોની મદદ કાજે રાહત સામગ્રી અને જીવન જરુરીયાતની વસ્તુઓ અર્પણ કરી માનવતાં મહેકાવી

પ્રજાપંખ : મહારાષ્ટ્રના ત્રણ જિલ્લા કોલ્હાપુર, સાંગલી અને સતારામાં પૂરથી ખરાબ પરિસ્થિતિ સર્જાઇ છે. ત્યારે સુરત પાસેના લાજપોર દ્વારા નકદ અને પુર્ણ રાશન કિટ સાથે કંબલ વહેંચ્યા લાજપોરના બુલબુલીયાએ જણાવ્યુંકે, અમે 300 રાશન કિટ સાંગલીનાં પૂરગ્રસ્ત લોકોને જાતે જઇને રુબરુ આપી છે. દરેક કિટમાં ચહા, ખાંડ, ઘઉં-ચોખા, દાળ, તેલ, મિક્સ મસાલા, કપડાં, દવા, વાસણો તથા ચપ્પલ જેવો સામાન વહેંચ્યો છે. સાથે કંબલ અને બિસ્કિટના પેકેટ પણ આપ્યા છે. આ તમામ કાર્યો માટે મદદ ફાળો ઉઘરાવી રુપિયા ૨૦ લાખથી વધુ કિમંતની વસ્તુઓ પૂર પીડિતોને સ્થાનિક લોકોને સાથે રાખી મદદ કરવામાં આવી. સાંગલી જઈને એક ટીમ બનાવી સર્વે કરીને સ્થાનિકોને સાથે રાખી રાશન કિટનું વિતરણ કર્યું હતું. આ વખતે કપડાં, વાસણો તથા અન્ય સામાન પણ છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના કોંકણ તથા પશ્ચિમ મહારાષ્ટ્રના 8 જિલ્લામાં 22 જુલાઈથી શરૂ થયેલા મૂશળધાર વરસાદને કારણે 1100 ગામોમાં પૂર આવ્યું હતું અને તેમાં 225 લોકોએ જીવ ગુમાવ્યો હતો. કરોડોનું નુકસાન થયું છે. રત્નાગિરિ જિલ્લાના ચિપલુણ શહેર તથા મહારાષ્ટ્રના કોલ્હાપુર-સાંગલી શહેરના ઘણાં વિસ્તારો દિવસો સુધી જળમગ્ન રહ્યા હતા, આવા કપરા સમયે જમિયત - એ – ઉલમા સુરત અને લાજપોર દ્વારા મહારાષ્ટ્ર ના સાંગલી જિલ્લા અને તાલુકાના પૂર પિડિત લોકોની મદદ કાજે રાહત સામગ્રી અને જીવન જરુરીયાતની વસ્તુઓ અર્પણ કરી માનવતા મહેકાવી


 
 
 

Comentários


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page