છોટુભાઈ ઇ. પાટીલની ભારતીય રેલવેની પેસેન્જર એમેનિટીઝ કમિટીમાં નેશનલ લેવલે નિમણુંક કરાઇ..
- Praja Pankh
- Jul 19, 2021
- 2 min read

સચિન પ્રજાપંખ : ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને આદરણીય સાંસદશ્રી સી. આર. પાટીલ સાહેબના ભલામણથી ભારતીય રેલવે અંતર્ગત પશ્ચિમ રેલવેના પૂર્વ NRUCC મેમ્બર છોટુભાઈ પાટીલની ભારતીય રેલવેની પેસેન્જર એમેનિટીઝ કમિટીમાં PAC (Passenger Amenities Committee) નેશનલ લેવલે 2 વર્ષ માટે નિમણુંક રેલ મંત્રાલયે કરી છે. આ રેલવે મંત્રાલય દ્વારા છોટુભાઈ પાટીલની રેલ્વે સ્ટેશનો પર અને મુસાફરો હેઠળની મુસાફરોની સવલતોને તપાસવા રાષ્ટ્રીય કક્ષાએ પેસેન્જર સવલતો સમિતિમાં એમના આટલા વર્ષોના રેલ્વે ફેક્લ્ટીના અનુભવોના કાજે 2 વર્ષ માટે નિમણુંક કરવામાં આવેલ છે. જેનાથી સમગ્ર કાર્યકર્તાઓમાં તથા રેલ્વે સલાહકાર સમિતિઓમાં તેમજ સમાજોમાં ખુબજ આનંદની લાગણી પ્રસરી છે. આ પેસેન્જર એમેનિટીઝ કમિટી (પીએસી) એ ભારત સરકારના રેલવે મંત્રાલય (ભારત) હેઠળ એક વૈધાનિક સંસ્થાની સંસ્થા છે. ભારતમાં રેલ્વે પરિવહનની સરળતા માટે મુસાફરોની ફરિયાદોનું કામ સોંપવામાં આવ્યું છે. પીએસી એ ભારતમાં રેલ્વેની સુગમ કામગીરી માટે શાસ્ત્રીય સંગઠનાત્મક નેટવર્કમાંનું એક માનવામાં આવે છે. જેથી આ વિભાગમાં રેલ્વે વિભાગના જાણકારની જરુરી હોય છે માટે છોટુભાઈ પાટીલની એમના વર્ષોના અનુભવે ખાસ પસંદગી થઇ છે. આમ તો છોટુભાઇ પાટીલ 1981 થી બીજેપીમાં સક્રિય છે. તેઓએ નાના કાર્યકરથી પોતાની શરુઆત કરી છે ત્યારે આજે આટલી ઉંચાઇ પર જઈ રહ્યા છે. તેઓ કોઇ પણ કામ માટે ના નથી કહેતા, એટલે એમને 108 ના હુલામણાં નામથી પણ બધા સંબોધન કરે છે. સુરતના વિકાસમાં એમનો પણ સક્રીય ભાગ છે કેમ કે, તેઓ કોર્પોરેટર તરીકે સારી સેવા આપી ચુક્યા છે, 2012 માં બીજેપી સુરત શહેરના વાઇસ પ્રેસિડેંટ પણ રહી ચુક્યા છે. જ્યારે 1998-2002 -2007-2017, રેલ્વેમાં ડીઆરયુસીસી વેસ્ટ્ર્ન રેલ્વે મેમ્બર રહ્યા, ત્યાર બાદ મેમ્બર 2015-2017 ઝેડ આર યુ સી સી ( Z. R. U. C. C. ) વે.રે.માં અને ત્યાર બાદ ભારતીય રેલ મંત્રાલયે નેશનલ લેવલ પર એમને એન આર યુ સી સી (N.R.U.C.C.) (01-02-2019 to 31-01-2021) માં મેમ્બર બનાવ્યા હતાં ત્યાં પણ બેસ્ટ કામગીરી કરી હતી, જણવા જોગ કે, તેઓ આ નવ ગુજરાત ટાઇમ્સ પેપરના ઇંચાર્જ તરીકે પણ 1990 થી 2008 સુધી રહ્યા છે. ઉપરાંત સમાજ ક્ષેત્રે પણ અગ્રણી રહ્યા છે. ( 1983 - 2005 ) શ્રી મરાઠા પાટીલ મંડળ અને મહારાષ્ટ્રીયન વિકાસ મંડળ ના ખજાનચી રહ્યા, સાથે જનરલ સેક્રેટરી મહાદેવ નગર સોસાયટી, તથા ચિકુવાડી વિકાસ હાઉસિંગ સોસાયટી અને મહાદેવ ટ્રસ્ટ અને છત્રપતી શિવાજી સ્મારક સમિતિના પ્રેસિડેંટ છે અને મુક્તીધામ સ્મશાન ભુમીનાં ટ્રસ્ટી પણ છે આમ આ કર્મઠ કહેવાતા છોટુભાઇ પાટીલ 24 કલાકમાંથી 14 કલાક કામ કરતાં રહે છે જેથી જ છોટુભાઈ ઇ. પાટીલની ભારતીય રેલવેની પેસેન્જર એમેનિટીઝ કમિટીમાં નેશનલ લેવલે 2 વર્ષ માટે નિમણુંક કરાઇ છે.
Comments