છોટુભાઇ પાટીલ (PAC) ઇન્ડિયન રેલ્વેના મેમ્બર બનતા સચિન રેલ્વે સલાહ્કાર સમિતિ દ્વારા ભવ્ય અભિવાદન.
- Praja Pankh
- Aug 14, 2021
- 4 min read
સચિન સલાહકાર સમિતિ દ્વારા સચિન સ્ટેશનની ભૌતિક સુવિધાની વર્ષોની માંગ પ્રમાણે અત્યારે સચિન રેલ્વે સ્ટેશન નવું રુપ ધારણ કરી રહ્યું છે. આ નવા રુપ માટે અને યાત્રીઓની સુવિધા માટેનો શ્રેય માનનિય સી.આર.પાટીલ સાંસદ્શ્રી અને પ્રદેશ અધ્યક્ષશ્રી તથા પી. એ. સી. પેસેંજર એમેટીઝ કમિટિ ઇંડિયન રેલ મેમ્બર શ્રી છોટુભાઇ ઇ. પાટિલજીને જાય છે. આજે પણ નવા નિર્માણ સ્ટેશનનાં કામમાં સદા સહયોગ રહે છે. પી. એ. સી. મેમ્બરની ઘોષણા ભારતના રાષ્ટ્રપતિશ્રી દ્વારા ગેઝેટ બહાર પાડી કરાય છે. કેમ કે, ભારતના તમામ સ્ટેશન કે મુસાફીર તમામ પ્રકારની સુવિધાઓ અપાવવાનું કામ આ પી એ સી સદસ્યોએ કરવાનું રહે છે.

સચિન : સચિન ઇંડસ્ટ્રીઝ ઔધોગિક વિસ્તારનાં કારણે, સમગ્ર ભારતમાંથી 5 લાખથી વધુ લોકો પારિવારિક રોજગાર માટે અહીં વસે છે. સચિનથી 5 કિલોમીટર દૂર ખજોદ ગામમાં ઇન્ટર નેશનલ ડાયમંડ હબ સાથે સચિનમાં એશિયાની નંબર બે કહેવાતી 2250 ફેક્ટરી એકમવાળી જીઆઇડીસી અને 2250 ફેક્ટરી પ્લોટ હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ, અને 2025 ડાયમંડ પાર્ક અને સુરસેજ જેવા મોટા વિદેશી દેશ સાથેની ફેક્ટરી, ઇન્ડસ્ટ્રીઝ 35 વર્ષથી કાર્યરત છે જ્યાં દેશ - વિદેશના વેપારીઓ પણ વિઝિટે આવે છે. છેલ્લા ચાર પાંચ વર્ષથી સચિન સલાહકાર સમિતિ દ્વારા સચિન સ્ટેશનની ભૌતિક સુવિધાની માંગ પ્રમાણે અત્યારે સચિન રેલ્વે સ્ટેશન નવું રુપ ધારણ કરી રહ્યું છે. આ નવા રુપ માટે અને યાત્રીઓની સુવિધા માટેનો શ્રેય માનનિય સી.આર.પાટીલ સાંસદ્શ્રી અને પ્રદેશ અધ્યક્ષશ્રી તથા પી. એ. સી. પેસેંજર એમેટીઝ કમિટિ ઇંડિયન રેલ મેમ્બર શ્રી છોટુભાઇ ઇ. પાટિલજીને જાય છે. આજે પણ નવા નિર્માણ સ્ટેશનનાં કામમાં સદા સહયોગ રહે છે. પી. એ. સી. મેમ્બરની ઘોષણા ભારતના રાષ્ટ્રપતિશ્રી દ્વારા ગેઝેટ બહાર પાડી કરાય છે. કેમ કે, ભારતના તમામ સ્ટેશન કે મુસાફીર તમામ પ્રકારની સુવિધાઓ અપાવવાનું કામ આ પી એ સી સદસ્યોએ કરવાનું રહે છે. જેથી આજે સચિન રેલવે સ્ટેશનની પી. એ. સી. મેમ્બર તરીકેની પ્રથમ મુલાકાતે પધારેલ છોટુભાઇ પાટીલ કે જેઓ ગત માસે ભારત સરકારના પી એ સી PAC રેલ્વે મેમ્બર બનતા સચિન રેલ્વે સલાહ્કાર સમિતિ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી શાલ ઓઢાવી ભવ્ય અભિવાદન કરાયુ હતું આ પ્રસંગે રેલ્વે સલાહકાર કમિટિ સદસ્યો, કાઉંસીલશ્રીઓ અને સંગઠન પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં, આ પ્રસંગે છોટૂભાઇ એ કહ્યુ કે, આજે 89 થી દરેક સ્ટેશનની સમસ્યાઓથી વાકેફ છું, ડિ.આર.એમ. દર વખતે બે જ પ્રશ્નો નો આગ્રહ રાખે જ્યારે મારો રેકોર્ડ છે. હું બે પ્રશ્નોમાં 20 પેટા પ્રશ્નો રજુ કરીને ઘણાં કામ મંજુર કરી લાવું છું. કેમ કે, ઉધનાથી બિલ્લિમોરાના પ્રશ્નો મારી પાસે આવે છે સહુને ન્યાય આપવાનો હોય છે. સચિન કમિટિનું પણ આજે કામ દેખાઇ રહ્યું છે. આપણી રજુઆત પાયાની હોવી જોઇએ, આપણે વર્ષોથી સચિન રેલ્વે સ્ટેશનના મુખ્ય પ્રશ્નોની રજુઆત ઉપર કરતાં આવ્યા છીએ, હાલમા શ્રમજીવી લોકો માટે લોક્લ ટ્રેનની ખાસ જરુર છે. સવારે 10 થી 04-30 વચ્ચે બે ટ્રેન સૌરાષ્ટ્ર અને જનતાની માંગ જરુરી છે. સચિન સલાહકાર કમિટિ માટે પણ સચિનની પુર્ણ હિસ્ટ્રી નવાબ થી લઈને આજ સુધીનો ઇતિહાસ ડી આર એમ ને રુબરુ આપ્યો હતો, ત્યારે આપની આ કમિટિ બની છે. સચિન કમિટિ બેસ્ટ કામ કરી રહી છે, આપણે મહિને દોઢ મહિને મળતા રહીશુ,
કોરોના સમય દરમિયાન સચિનની તમામ ટ્રેનો બંધ કરવામાં આવેલ અને હમણાં જ, બલસારથી સુરત માટે સવારે 8 -46 લોકલ અને સાંજે 04-56 લોકલ અને રાત્રે 10 -10 ફ્લાઈંગ રાની ટ્રેન શરૂ કરી છે. આ સિવાય નવસારી સુરતથી બલસાર સવારે 05-20 ફ્લાઇંગ રાની, મેમુ ઉમરગામ 09-46 અને સાંજે 16-55 અને સાંજે 18-50 વિરારથી આમ માત્ર 05 ટ્રેન સચિનને પ્રાપ્ત થઇ છે. જ્યારે અપ-ડાઉન લોકોની સંખ્યા લાખોથી વધુ હોય છે. ટ્રેનની સુવિધાના અભાવે સ્ટેટ હાઇવે રોડ સવાર - સાંજ જામ થઇ જાય છે. ઘણા બધા અકસ્માતો થઈ રહ્યા છે, જેથી બધી ટ્રેનો તાત્કાલિક શરુ કરવાની માંગ છોટુભાઇ સમક્ષ મુકી છે. કેમ કે, આ વિસ્તારમાં ઓધોગીક એકમોમાં 03 લાખથી વધુ માત્રામાં કારીગરો અને કામદાર વર્ગ કામ કરે છે. હાલમાં જોઇતી ટ્રેન, -9216-9215 સૌરાષ્ટ્ર એક્સપ્રેસ - 19023-19024 જનતા એક્સપ્રેસ -2936-2935 સુરત મુંબઈ ઇન્ટરસિટી - અપ -ડાઉન લોકો માટે, બલસારથી સુરત માટે સવારે 07-30 વાગ્યે સચિન સુધી 08 -00 વાગ્યે એક ટ્રેન જરૂરી છે.-સવારે 05 -05 ની ગુજરાત ક્વીન ફરી શરૂ કરો, તથા -9013 -14 ખાનદેશ એક્સપ્રેસને પણ સ્ટોપેજ આપવાં ફરી માંગ કરી છે. અહીં માત્ર એક વિન્ડો ટિકિટ માટે કાર્યરત છે જેમાં વર્તમાન ટિકિટ અને રિઝર્વેશન ટિકિટનું વિતરણ કરવામાં આવે છે. કોવિડ -19 પહેલા દૈનિક રૂ. 01.50,000/- એટલે કે દોઢ લાખની દૈનિક આવક હતી અને આજે પણ કોવિડ 19 માં- રૂ. 01 લાખથી વધુની અંદાજિત આવક આવી રહી છે. તેથી, એક વધુ વિન્ડો ઇન્સ્ટન્ટ મંજૂરી સાથે એક U T S અને એક P R S આમ બે વિન્ડો અલગ આપવામાં આવે. 01 નંબર પ્લેટ્ફાર્મની લંબાઈ અને ઉંચાઇ વધારવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. પશ્ચિમ રેલવે દ્વારા પ્લેટફોર્મ નંબર 1 ઓફિસ પાછળની કોમન લાઇનને વિસ્તાર માટે વિનંતી કરવામાં આવી છે, સ્ટેશન માસ્ટર ઓફિસ અને બુકિંગ વિન્ડો પ્લેટફોર્મની વચ્ચે છે, નવી માસ્ટર ઓફિસ સાથે બે ત્રણ માળની ઇમારત, લોજ સાથે રેસ્ટ હાઉસ અને કનકપુર પૂર્વ અથવા કનસાડ પશ્ચિમ તરફ અને સાઇટ પર 04 વિન્ડો ઓફિસ સાથે ફરીથી આયોજન કરવામાં આવે, આરપીએફ ચેકપોઈન્ટ નથી, ચોકી નથી, બલસાર - ગુજરાત ક્વીન અમદાવાદ અને ફ્લાઈંગ રાણી સુરત ટ્રેનમાંથી ઉતરતા મુસાફરોના ધસારામાં તસ્કરો દ્વારા બેગ અને પર્સની ચોરી અનેકવાર થાય છે. એટલા માટે પોલીસ ચોકી ખૂબ જરૂર છે, હંમેશા બે પોલીસની ફરજ હોવી જોઈએ. 23 સીસીટીવી મંજૂર કરવામાં આવ્યા છે. હાલમાં આ કેમેરા બુકિંગ વિન્ડો અને આઉટ ગેટ પાસે સ્થાપિત થવો જોઈએ, જેથી જો કંઇ અજુગતું બને તો તે જાણી શકાય, - 422 નંબરની ખાડી કરસન દાદા હનુમાન મંદિર (પશ્ચિમ) પાસે આવી છે! ત્યાં ભૂગર્ભ ટનલ રસ્તો જોઈએ છે, જેના કારણે સચિન સ્ટેશનનો રસ્તો 5 KM ને બદલે 1.5 KM થઈ જશે, - સચિન સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 01 અને 02 ના ઉત્તર -દક્ષિણ વચ્ચે એટીએમ મશીન, નવા સુલભ શૌચાલયો, પાણી પીવાની પરબની જરૂર છે. - સુરત બાજુ આશિષ હોટલ બ્રિજ સુધી ફ્રેડ કોરિડોરની બાજુમાં એક મુખ્ય કોમન રસ્તો, ઉત્તર દક્ષિણ ઉત્તર દિશામાં જરૂરી છે. - સચિને રેલવે સ્ટેશનની બહાર પૂર્વ અને પશ્ચિમ બાજુએ એક મોબાઈલ ટિકિટ બારી મંજૂર કરવી જોઈએ અને વરિષ્ઠ નાગરિકને તેને ચલાવવા આપી દેવી જોઈએ. આજે આટલા પ્રશ્નો સચિન રેલવે કોન્સ્યુલર કમિટી મેમ્બર અજીતસિંહ રાજપૂત, પ્રકાશ સી. ભાવસાર, ચિરાગસિંહ સોલંકી, કેયુરભાઇ પટેલ, સંજયભાઇ સુંદરિયા, મુકેશભાઇ પટેલ, મહેન્દ્રભાઇ પટેલ, તેજસભાઇ આહિર, અને રાજુભાઇ પટેલ દ્વારા રુબરુ ડિસ્કશન કરીને આપવામાં આવ્યા છે, આજે ટીપી સ્કીમ સદસ્ય ચિરાગસિંહ સોલંકી, પાણી સમિતિ સદસ્ય રીનાબેન રાજપૂત, બાંધકામ સમિતિ સદસ્ય પિયુષાબેન પટેલ અને કાયદા સમિતિ અધ્યક્ષ હસમુખભાઇ નાયકા તથા સંગઠન પ્રમુખ દિપક ચૌધરી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. પીએસી મેમ્બર છોટુભાઇ પાટીલે અંતમાં કહ્યું સચિનનાં મુદ્દા ઘણાં છે પણ નિરાકરણ આવશે.
Comments