top of page

ચોર્યાસી તાલુકાના વાંઝગામના મહ્યાવંશી સમાજ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૩૨મી જન્મજયંતી ઉજવાઇ..

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Apr 14, 2023
  • 1 min read

સુરતઃ શુક્રવાર:- ભારતરત્ન ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૩૨મી જન્મજયંતિના પાવન અવસરે ચોર્યાસી તાલુકાના વાંઝગામ ભારત ફળિયાના મહ્યાવંશી સમાજ દ્વારા બાબા સાહેબની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી શ્રધ્ધાંજલિ આપી હતી. તેમજ બાબાસાહેબ આંબેડકર સાહેબની કેક કટીંગ કરી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.સમાજના અગ્રણીઓએ બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ભીમરાવ રાવજી આંબેડકરની જન્મજયંતિના અવસરે સૌને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે સમાજના અગ્રણી નિવૃત શિક્ષકશ્રી કરશનભાઇ પરમાર,એડવોકેટશ્રી જતિનભાઇ વાંઝવાલા, પ્રિતેશભાઇ વાંઝવાલા,ગીરીશભાઇ પરમાર, નિવૃત શિક્ષિકા શ્રીમતી નયનાબેન સુરતી, બ્રિજેશભાઇ વાંઝવાલા,લક્ષ્મણભાઇ સુરતી,નરેશભાઇ વાંઝવાલા સહિત મહ્યાવંશી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

 
 
 

Kommentare


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page