ગામડાઓની નાનામાં નાની મુશ્કેલીઓ નિવારવાની જવાબદારી સરકાર નિભાવી રહી છે: ધારાસભ્ય ઝંખનાબેન પટેલ
- Praja Pankh
- Sep 2, 2022
- 2 min read

સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ચોર્યાસી તાલુકાના વિકાસ માટે મંજુર થયેલા રૂ.૩.૯૧ કરોડના વિકાસ કામોના વર્ક ઓર્ડરોનું વિતરણ

હળપતિ આવાસ યોજના હેઠળ ચોર્યાસી તાલુકાના ૨૭ લાભાર્થીઓને આવાસના મંજુરીપત્રો એનાયત કરાયા
સુરત પ્રજાપંખ- સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ ચોર્યાસી તાલુકાના વિકાસ માટે મંજુર થયેલા વિકાસ કામોના વર્ક ઓર્ડરોનું વિતરણ ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલ હસ્તે કરાયું હતું. આ અવસરે ધારાસભ્યશ્રી અને અન્ય પદાધિકારીઓના હસ્તે વિવિધ યોજનાઓ હેઠળ મંજુર થયેલા રૂ.૩.૯૧ કરોડના વિકાસ કામોના વર્ક ઓર્ડર તેમજ હળપતિ આવાસ યોજના હેઠળ હજીરા ગામના ૧૩, લાજપોરના ૬, જુનાગામના ૮ મળીને કુલ ૨૭ લાભાર્થીઓને વર્ક ઓર્ડરો ગામના સરપંચોશ્રીઓને અર્પણ કરાયા હતા.
આ અવસરે વિવિધ યોજના જેવી કે ૧૫% વિવેકાધિન જોગવાઈના રૂ.૮૬.૫૦ લાખ, ATVT યોજના રૂ.૧૩૭.૫૦ લાખ, જિલ્લા પંચાયત સદસ્યશ્રી ગ્રાન્ટમાં રૂ. ૧૮ લાખ, એમ.એલ.એની ગ્રાન્ટમાં રૂ.૧૨.૫૦ લાખ, ૧૫માં નાણાપંચ યોજના ૨૦૨૧-૨૨(ગ્રામ્યકક્ષા) વહીવટી હુકમના રૂ.૧૦૫ લાખ તેમજ ટ્રાયબલ યોજના ૨૦૨૧-૨૨(હળપતિ આવાસ યોજના)ના રૂ.૩૨.૪૦ લાખ મળીને કુલ રૂ.૩.૯૧ કરોડના રસ્તા, ગટર જેવા જનહિતલક્ષી વિકાસકામોની મંજુરીના વર્ક ઓર્ડરો એનાયત કરાયા હતા.
ઘોડરોડ સ્થિત ચોર્યાસી તાલુકા પંચાયતના સભાખંડ ખાતે આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, ગામડાઓના સર્વાંગી વિકાસ થકી ગુજરાતને આત્મનિર્ભર બનાવવાનો રાજ્ય સરકારનો સંકલ્પ છે. વિકાસ યાત્રાના માધ્યમથી સરકારની પ્રજાકલ્યાણની યોજનાઓ છેવાડાના માનવી અને ગામડાઓ સુધી પહોંચી છે. ગામડાઓની નાનામાં નાની મુશ્કેલીઓ નિવારવાની જવાબદારી રાજ્ય સરકાર સુપેરે નિભાવી રહી છે. ગામડાઓ સુવિધાયુક્ત સાથે સ્વાવલંબી બને અને છેવાડાના માનવીઓને પણ શહેરો જેવી સુવિધાઓ પ્રાપ્ત થાય તેવો અમારો પ્રયાસ છે, જેમાં ગામના સરપંચો અને ગ્રામજનોનો સહયોગ અપેક્ષિત છે. ગામની રોડ-રસ્તા, ગટર લાઇન જેવા ખુટતા કામો બાકી હોય તો સરપંચોને ધ્યાન દોરવા અનુરોધ તેમણે કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા સંગઠન પ્રમુખશ્રી સંદિપભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ગામડાઓમાં વીજળી, પાણી, આરોગ્ય, શિક્ષણ જેવી પ્રાથમિક અને ભૌતિક સુવિધાઓ આપી શહેરો સમકક્ષ બનાવવામાં આવી રહ્યા છે.
આ પ્રસંગે જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, ચોર્યાસી તાલુકાના ગામોના સંરપચ-ઉપસંરપચો ઉપસ્થિત રહ્યા હતા.
Comments